મુંબઇ: એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈને બોલિવૂડમાં ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ પોતાને પિટ રાખવા માટે યોગ અને જિમમાં સતત પરસેવો પાડતી રહે છે. હાલમાં જ મલાઇકાએ અરબાઝ સાથે લીધેલા ડિવોર્સને લઈને ખુલાસો કર્યો હતો.  મલાઇકાએ કરીના કપૂરના શોમાં અરબાઝ સાથે ડિવોર્સની વાત પર કહ્યું હતું કે , મેં મારા નિર્ણયને લઇને મારા પરિવાર અને નજીકના સંબંધીઓ અને મિત્રો સાથે વાત કરી હતી. તમામ લોકોએ મને ફરીથી વિચારવા કહ્યું હતું. મલાઇકાએ કહ્યું કે , બધા લોકોની પહેલી સલાહ એ જ હતી કે, તેણે ડિવોર્સ ન લેવા જોઈએ.




મલાઈકાએ કહ્યું, આ જ પહેલી વાત હોય છે કે , સમજી વિચારીને નિર્ણય લો. હું પણ આ સમયમાંથી પસાર થઇ હતી. મલાઇકાએ શો પર ડિવોર્સ સાથે જોડાયેલી વાતો શેર કરતાં કહ્યું કે, તેમના પરિવારે તેને ડિવોર્સની સુનાવણીના આગળની રાત્રે પણ બધી વસ્તુઓ વિચારીને કરવા કહ્યું હતું. તેણે જણાવ્યું કે, પરિવારે કહ્યું હતું કે, શું તુ ખરેખર ડિવોર્સ લેવા માંગે છે. શું તું તારા નિર્ણય પર અડગ છે. એટલે મને લાગે છે કે, એવું કંઇક હતું જેના પર મેં તમામ લોકોની શાંતિથી વાત સાંભળી હતી. આ એ લોકો છે, જે મારી ચિંતા કરે છે અને એટલે જ મારા નિર્ણયને લઇને એ જરૂરથી આમ કહેશે.



પરિવાર અને મિત્રો દ્વારા ડિવોર્સ લેતા સમયે સાથે રહેવા પર મલાઇકાએ જણાવ્યું કે , અંતે મારા મિત્રો અને પરિવારના સભ્યોને લાગ્યું કે હુ અરબાઝની સાથે પોતાના લગ્નને સમાપ્ત કરવા માંગુ છું, બાદમાં બધાએ મને સાથે આપ્યો હતો. તમામ લોકોએ કહ્યું કે , જો આ નિર્ણય તું લઇ રહી છે , તો વાસ્તવમાં તારા માટે અમને ગર્વ છે , તુ એક મજબૂત મહિલા છે. જેનાથી મને ખૂબ જ તાકત મળી હતી.

ઉલ્લેખનીય છે કે મલાઈકાએ 2017માં અરબાઝ સાથે ડિવોર્સ લીધા હતા. મલાઈકા અને અરબાઝને એક દિકરો અરહાન પણ છે.