પોતાના સ્ટારડમને ઇન્જોય કરી રહી છે મિસ વર્લ્ડ માનુષી, બોલીવૂડમાં કરી શકે છે એન્ટ્રી
માનુષી છિલ્લર મંગળવારે યોજારા મિસ ઈન્ડિયા કૉન્ટેસ્ટમાં ભાગ લેશે. આ કૉન્ટેસ્ટમાં તેની સાથે બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન, જેકલીન ફર્નાડિઝ અને માધુરી દીક્ષિત પોતાની પ્રસ્તુતિથી ચાર ચાંદ લગાવશે.
માનુષીને આ પ્રતિભાગિઓને લઇને તેની ઉમ્મીદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, મને લાગે છે કે કોઈ નિર્ધારિત ફોર્મૂલા નથી અને કોઈ રસ્તો પણ નક્કી નથી કે જે ખિતાબ સુધી લઇ જઇ શકે કારણ કે દરેકકો પોતાનો રસ્તો ખબર હોય છે, એટલુંજ નહીં જ્યારે તમે મિસ વર્લ્ડની ગત વિજેતાઓને જોશો તો તેઓ તમામ અનોખા હતા, તેથી તમે કોઇ નિર્ધારિત ઉદાહરણ નહી આપી શકો તેમને હું એટલુંજ કહેવા માંગીશ કે તેઓ જેટલું વધારે શીખી શકે છે તેટલું શીખે અને જેવી છે તેવીજ રહે.
માનૂષીએ કહ્યું હું અત્યારે મારો અભ્યાસ પૂર્ણ કરવા માંગુ છું, દરરોજ હું કંઇક નવુ શીખી રહી છું.
મુંબઈ: લાંબા સમયથી એકવાર ફરી ભારતને મિસ વર્લ્ડનો ખિતાબ અપાવનારી માનુષી છિલ્લર હાલમાં પોતાના સ્ટારડમને એન્જોય કરી રહી છે.
જો કે ફિલ્મોમાં કામ કરવાની ઓફરને લઇને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેણે કહ્યું હજું સુધી કોઈ ઓફર મળી નથી.
માનૂષીએ હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તે બોલીવુડમાં જવા માટે વિચારી રહી છે. માનષીએ કહ્યું તે પોતાની અંદરની એક્ટ્રેસને અનુભવી શકે છે. મે અત્યાર સુધી કોઈ પણ તકને નકારી નથી અને સમય આવશે ત્યારે બોલીવૂડ વિશે નિર્ણય કરીશ.