‘તારક મહેતા કા....’ શોમાં એવું શું બન્યું કે રાજ ઠાકરેની પાર્ટી MNSએ આપી ખુલ્લી ધમકી, મેકર્સને ગુજરાતી કીડા કહી.....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Mar 2020 10:05 AM (IST)
વીડિયોમાં શોના એક કેરેક્ટર કહે છે, 'આપણી ગોકુલધામ મુંબઇમાં છે અને મુંબઈની કોમન લેગ્વેજ હિન્દી છે.
NEXT PREV
મુંબઈઃ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ જાણીતા ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશમા’ના મેકર્સને ચેતવણી આપી છે. આખો મામલો તાજેતરમાં દેખાડવામાં આવેલા શોના એક એપિસોડ સાથે સંકળાયેલો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, હિંદી મુંબઈની કોમન ભાષા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ ફિલ્મ સ્ટાફના ચેરમેન અમેયા ખોપકરે કહ્યું હતું કે, શોના મેકર્સ એ સારી રીતે જાણે છે કે, મુંબઈમાં સૌથી વધારે મરાઠી ભાષા બોલાય છે. તેમ છતાં પણ તેમને આ પ્રકારનો પ્રોપેગેંડા પ્રસારીત કર્યો. શોના મેકર્સને ગુજરાતી કીડા ગણાવતા અમેયાએ વધુ કહ્યું કે, કમ સે કમ શોમાં કામ કરી રહેલા મહારાષ્ટ્રીયન કલાકારોને શરમ આવવી જોઇએ. આ સાથે જ ખોપકરે તેમને પાઠ ભણાવવાની ધમકી આપી હતી. તમને જણાવી દઈએ કે, વીડિયોમાં શોના એક કેરેક્ટર કહે છે, 'આપણી ગોકુલધામ મુંબઇમાં છે અને મુંબઈની કોમન લેગ્વેજ હિન્દી છે. આ રીતે, આપણે હિન્દીમાં સુવિચાર લખીએ છીએ. જો આપણી સોસાયટી ચેન્નઈમાં હોત, તો આપણે તમિલમાં લખતા હોત. ટ્વિટર પર એમએનએસની જનરલ સેક્રેટરી શાલિની ઠાકરેએ કહ્યું હતું કે, જો સબ ટીવી એ વાતનો સ્વિકાર નહીં કરે કે મુંબઈની કોમન ભાષા હિદી નહીં મરાઠી છે તો મહારાષ્ટ્રના યોદ્ધાઓ સુવિચાર તેમના કાનોમાં લખવા પડશે. અને તે પણ મરાઠી માં.