✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘ડૉ. હાથી’ની અંતિમક્રિયા વખતે ‘બબીતાજી’ને આવ્યો ગુસ્સો, જાણો શું હતું કારણ....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Jul 2018 01:05 PM (IST)
1

મુનમુને લખ્યું કે, “સેલ્ફી લેવા માટે મારા ચહેરા આગળ ફોન ધરી રહેલા બે લોકોને મેં ખખડાવ્યા. આસપાસની બિલ્ડિંગના લોકો અમને જોઈને હસી રહ્યા હતા અને અમારી તસવીરો લઈ રહ્યા હતા. તેમના ચહેરા પર મને કોઈ દુઃખ કે આદરભાવ ન જોવા મળ્યો. એટલે જ કોઈપણ પ્રકારનો તમાશો થાય તે પહેલાં હું એ સ્થળેથી નીકળી ગઈ.”

2

મુનમુને લખ્યું કે, “આવી દુઃખની ઘડીમાં પણ લોકો કેટલા નિર્દયી હોઈ શકે છે તે જોવા મળ્યું. એક સેલ્ફી માટે લોકોએ મોતનો મલાજો પણ ન જાળવ્યો. સેલ્ફી પણ એટલા માટે લેવી હતી કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકો, વ્હોટ્સએપ પર ફોરવર્ડ કરી શકો અને બીજા સામે એક્ટર સાથે સેલ્ફી લીધાની બડાઈઓ હાંકી શકો. આવા દુઃખના પ્રસંગોએ સામાન્ય લોકો દુઃખમાં ભાગીદાર થવા નહીં પરંતુ સેલિબ્રિટીઝ સાથે તસવીરો લેવા અને તેમને જોવા આવે છે.”

3

મુનમુને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, ”જ્યારે અમે હાથીભાઈના અંતિમ સંસ્કાર પહેલા તેમના ઘરે તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા ત્યારે ત્યાં લોકોનું વર્તન જોઈને મને આઘાત લાગ્યો. આંટી-અંકલ હોય કે જુવાનિયાઓ તમામ પોતાના ફોનમાં અમારા વીડિયો લઈ રહ્યા હતા, ફોટો ખેંચી રહ્યા હતા અને અમારી સાથે સેલ્ફી લેવાની કોશિશ કરતા હતા.”

4

નવી દિલ્હીઃ 9 જુલાઈના રોજ હાર્ટ એકેટેથી તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ડો. હાથી એટલે કે કવિ કુમાર આઝાદનું મૃત્યું થઈ ગયું. ડો. હાથીના અંતિમ સંસ્કાર કેટલાક લોકોના વર્તનથી ‘બબીતાજી’ એટલે કે મુનમુન દત્તા ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. આ મામલે મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • ‘ડૉ. હાથી’ની અંતિમક્રિયા વખતે ‘બબીતાજી’ને આવ્યો ગુસ્સો, જાણો શું હતું કારણ....
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.