સ્પોટબોયે આમિરના નજીકના સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે. આ પ્લાનિંગ પર પૂર્ણવિરામ મૂકવા પાછળ એક નહી અનેક કારણો જવાબદાર છે. જાણીએ આમિર ખાને કયા ક્યા કારણોસર આ નિર્ણય લીધો.
ક્યા કારણે આમિર ખાને વિચાર માંડી વાળ્યો?
- આ મહાકાવ્ય પર ફિલ્મ બનાવવા માટે 5 વર્ષ જેટલો સમય જોઇએ. આ સમયમાં 3 ફિચર ફિલ્મ બની શકે.
- મહાકાવ્ય મહાભારતની ફિલ્મ માટે 5 વર્ષ આપવા વ્યાવસ્યાયિક રીતે યોગ્ય વિચાર નથી.
- પ્રોજેક્ટના પ્લાનિંગ સાથે જ અનેક વિવાદ પણ સર્જાયા
- હિન્દુવાદી સંગઠનોએ આ મહાકાવ્ય પર ફિલ્મ બનાવવાના આમિરખાનના અધિકારને પડકાર્યો.
- આમિર ખાનને મહાકાવ્ય પર ફિલ્મ બનાવવા માટે આ સમય યોગ્ય નથી લાગતો
જો કે આ તમામ બાબતમાં આમિરની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું.