'પદ્માવત' મુદ્દે ભણશાળીની બોલીવુડના ક્યા 'ખાન'એ કરી ટીકા? રાજપૂતોના વિરોધને આપ્યું સમર્થન?
સૈફ અલી ખાને ઉદાહરણ આપતા કહ્યું કે, જો તમે આવી કોઈ ફિલ્મ ટાઈગર પટોડી વિશે બનાવો છો તો તમારે તેની ભૂમિકા પ્રત્યે ઇમાનદાર રહેવું જોઈએ અને જો તમે તેવું ન કરો તો તમે પટોડીનું અપમાન કરી રહ્યા છો.
આગળ સૈફ અલી ખાને કહ્યું કે, કરણી સેનાએ આરોપ લગાવ્યો છે કે ઘૂમર ગીતમાં મુખ્ય ભૂમિકા જે રીતે નૃત્ય કરતાં બતાવવામાં આવી છે એવું રાણીઓ કરતી ન હતી, પરંતુ તે નૃત્ય જોતી હતી.
હાલમાં જ એક ખાનગી ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં બોલીવુડ એક્ટર સૈફ અલી ખાને પદ્માવત મુદ્દે મૌન તોડ્યું હતું. તેમણે કહ્યું કે, જો એક ફિલ્મ નિર્માતા એક રાણી પર ફિલ્મ બનાવવાનો નિર્ણય કરે છો તો તેણે યોગ્ય ફિલ્માંકન માટે સાવધાની રાખવી જોઈએ. તેમણે કહ્યં કે, જ્યારે ઈતિહાસ આધારિત ફિલ્મ બનાવતા હોય ત્યારે તેમાં પ્રયોગ ન કરવા જોઈએ.
નવી દિલ્હીઃ પદ્માવત ફિલ્મને લઈને ઠેરઠેર રાજપૂત સમાજ અને સંગઠનો દ્વારા વિરોધ ચાલી રહ્યો છે ત્યારે આ મુદ્દે ફિલ્મ જગતના લોકો પણ પોત પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. કેટલાક ફિલ્મ સ્ટાર ભણશાલીનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક ફિલ્મનો વિરોધ કરતાં જોવા મળી રહ્યા છે.