પદ્માવતમાં ખિલજીના રૉલ મામલે શાહીદે રણવીર પર કર્યો કટાક્ષ, જાણો શું કહ્યું
પદ્માવત 25 જાન્યુઆરીએ રિલીઝ થઇ હતી અને કેટલાક રાજ્યોમાં રિલીઝ થવા છતાં ફિલ્મ બૉક્સ ઓફિસ પર સારું કલેક્શન કરી રહી છે.
'એટલા માટે ખિલજીનું કેરેક્ટર હોય કે રતનસિંહનું, બધું સંજય સર મૉનિટર કરે છે. મે હમણાં કહ્યું કે, હું રણવીર કરતાં અલગ રીતે આ રૉલ કરી શકતો હતો કેમકે અમે બન્ને અલગ એક્ટર્સ છીએ અને અમારી એક્ટિંગ સ્ટાઇલ પણ અલગ છે.'
પદ્માવતના સેટ પર રણવીર સાથે તેમના બૉન્ડિંગ વિશે તેમને કહ્યું,- 'હું રાવલ રતનસિંહ હતો, જે વધુ રિએક્ટ નથી કરતો. હું સેટ પર પણ એવો જ હતો. હું મારા ઝોનમાં જ હતો સીન્સની વચ્ચે મ્યૂઝિક સાંભળતો હતો.'
જોકે, શાહિદે એ પણ કહ્યું કે રણવીર જેવા ટેલેન્ટેડ એક્ટરની સાથે કામ કરવાના કારણે હું પણ મારુ બેસ્ટ આપવાની કોશિશ કરતો હતો.
જ્યારે શાહિદને પુછવામાં આવ્યું કે તમે ખિલજીનો રૉલ કરવા ઇચ્છતા હતા? તેના પર તેને કહ્યું- 'હા, કયો એક્ટર આવું કેરેક્ટર સંજય લીલા ભંસાળીની ફિલ્મમાં કરવા ના માગે? કૉફી વિથ કરણમાં એકવાર રણવીરે કહ્યું હતું તે કમીનો મારો રૉલ મારાથી સારી રીતે કરી શકતો હતો. હું ખિલજીનો રૉલ તેનાથી સારી રીતે કરી શકતો હતો.'
તેને પુછવામાં આવ્યું કે ખિલજીનો રૉલ કરતી વખતે કઇ રીતે તૈયારી કરતાં? તેના પર તેને કહ્યું, 'હું ડિટેલ્સમાં નથી જવા માંગતો, યાદ રાખો સંજય લીલા ભંસાળી પોતાની ફિલ્મનો હીરો હોય છે અને બધા એક્ટર તેમના પછી આવે છે.'
મુંબઇઃ શરૂઆતથી જ વિવાદોથી ઘેરાયેલી રહેલી 'પદ્માવત' ફિલ્મ હવે એક નવા વિવાદ વચ્ચે ફસાઇ છે. આ વિવાદ શાહિદ કપૂર અને રણવીર સિંહને લઇને ચર્ચાઇ રહ્યો છે. શાહિદનું માનવું છે કે તે અલાઉદ્દીન ખિલજીનો રૉલ રણવીર કરતાં પણ ખુબ સારી રીતે કરી શકતો હતો.