‘પદ્માવત’ને લઈને હિંસાની વચ્ચે આ શહેરમાં થયું સૌથી વધારે ‘બુકિંગ’
નવી દિલ્હીઃ છેલ્લા એક વર્ષથી વિવાદોમાં રહેલી ભણશાળીની ફિલ્મ પદ્માવતને લઈને દર્શકોમાં જોરદાર ક્રેઝ છે. ફિલ્મ આવતીકાલે એટલે કે 25 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. એક બાજુ ફિલ્મને લઈને અમદાવાદ સહિત અનેક શહેરોમાં હિંસા થઈ રહી છે ત્યારે લોકોમાં ફિલ્મ જોવા માટે લાઈનો લાગી છે. અનેક સિનેમાઘરોમાં પહેલેથી જ તમામ શો હાઉસફુલ થઈ ગયા છે.
જોકે ફિલ્મની ટિકિટનો લઈને અનેક જગ્યાએ ખોટી અફવાઓ પણ ફેલાવમાં આવી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે. મંગળવારે અહેવાલ હતા કે દિલ્હી-નોઈયડામાં બધી ટિકિટ વેચાઈ ગઈ છે. આ પ્રકારની ખોટા અહેવાલે ફેન્સ એક સમયે જરૂર નિરાશ કર્યા હતા. જોકે થિયેટર્સમાં શો ઝડપથી હાઉસફુલ થઈ રહ્યા છે.
લોકોમાં ફિલ્મ જોવા માટે એટલો ઉત્સાહ છે કે, ટિકિટ ખરીદવા હોડ લાગી છે. વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મ જોવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહેવાલ છે કે પદ્માવતને લઈને ચંદીગઢમાં એપ દ્વારા સૌથી વધારે ટિકિટ બુકિંગ થયું છે. પોપ્યુલર મૂવી ટિકિટ બુકિંગ એપનો દાવો છે કે ચંદીગઢ અને મોહાલની થિયેટર્સના 8 મલ્ટીપ્લેક્સમાં 26 પ્રિવ્યૂ શો માટે 25 ટકા સીટ પહેલેથી જ બુક થઈ ગઈ છે. બીજી બાજુ હરિયાણાના કુરુક્ષેત્રમાં પોલીસે શાંતિ વ્યવસ્થા માટે કલમ 144 લગાવી પડી છે.
બીજી બાજુ પદ્માવત ફિલ્મને લઈને એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે, લોકો મોંઘામાં મોંઘી ટિકિટ ખરીદવા માટે પણ તૈયાર છે. ટિકિટની કિંમત આકાશને આંબી ગઈ છે. કરણી સેનાનો ડર પણ લોકોની ઉત્સુક્તા ઘટાડી શકી નથી. દિલ્હીના મલ્ટીપ્લેક્સ પીવીઆરમાં પ્લેટિનમ સુપીરિયમાં ફિલ્મ જોવા માટે 2400 રૂપિયા ચૂકવવા પડે છે. જ્યારે ફિલ્મની પ્લેટિનમ ટિકિટના દર 2200 રૂપિયા છે. સૌથી મજાની વાત એ છે કે, પદ્માવતની એક ટિકિટની કિંમત ટાઈગર ઝિંદા હૈ અને બાહુબલી-2 જેટલી થવા જાય છે.