મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ અને બિગ બોસની પૂર્વ સ્પર્ધક પાયલ રોહતગીએ બિગ બોસની આ સીઝનના સ્પર્ધકોને જોબલેસ કહ્યા છે. અમીષા પટેલ, કોઈના મિત્રા, રશ્મિ દેસાઈ અને સિદ્ધાર્થ શુક્લા જેવા શોના સ્પર્ધકો પર નિશાન સાધતા પાયલે તેમને જોબલેસ કહ્યા હતા. પાયલનું આ ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. તેના ટ્વિટ પર યૂઝર્સે રિએક્શન પણ આપવાનું શરૂ કર્યું છે. આ ટ્વિટ બાદ પાયલ ટ્રોલ થઈ રહી છે.


પાયલ રોહતગી બુધવારે ટ્વિટ કર્યું કે, રામ રામ જી. અમીષા પટેલ, કોઈના મિત્રા, રશ્મિ દેસાઈ, સિદ્ધાર્થ શુક્લા અને અબુ મલિક આમની પાસે હાલ કોઈ કામ નથી...એટલા માટે તેમણે પૈસા માટે 'બિગ બોસ 13' જવાનો નિર્ણય કર્યો છે. બાકીના જે છે તેઓ મતલબ વગરના છે તેમને ફેમસ થવાની જરૂર છે એટલે મફતમાં આવી ગયા હશે. હું પણ જોબલેસ હતી જ્યારે બિગ બોસમાં ગઈ હતી.

પાયલ રોહતગીનું આ ટ્વિટ લોકોને પસંદ નથી આવી રહ્યું જેના કારણે ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. બિગ બોસ 13ને લઈને કરવામાં આવેલું આ ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે.