'બાહુબલી' પ્રભાસે ક્યા મામલે રજનીકાન્ત સહિતના સાઉથના સુપરસ્ટાર્સને પાછળ છોડ્યા ? જાણો વિગત
મુંબઇઃ સાઉથ સુપરસ્ટાર પ્રભાસ બાહુબલી અને બાહુબલી-2ની શાનદાર સફળતા બાદ રિયલ લાઇફમાં પણ તે બાહુબલી સાબિત થયો છે. વાસ્તવમાં પ્રભાસ એવો પ્રથમ સાઉથ ઇન્ડિયન એક્ટર બની ગયો છે જેની મૂર્તિ વિશ્વના પ્રખ્યાત મેડમ તુસાદ મ્યૂઝિયમમાં લગાવવામાં આવી હોય. આ મૂર્તિમાં પ્રભાસ બાહુબલી લૂકમાં જોવા મળે છે. રજનીકાંત અને કમલ હસન જેવા સુપરસ્ટારની પણ મૂર્તિ પણ ક્યારેય તુસાદમાં લાગી નથી.
ટ્રેડ પંડિત રમેશ બાલાના કહેવા પ્રમાણે, પ્રભાસના ફેન્સ માટે સારા સમાચાર છે. ઉલ્લેખનીય છે કે બાહુબલી-2 ફિલ્મ રોજ નવા વર્લ્ડરેકોર્ડ બનાવતી જાય છે. આ ફિલ્મએ ચાર દિવસમાં જ 625 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
જોકે, લંડનના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, રિતિક રોશન જેવા અનેક બોલિવૂડ સ્ટારના પૂતળા બનાવવામાં આવ્યા છે.
બેંગકોંક સ્થિત પ્રખ્યાત મેડમ તુસાદ મ્યૂઝિયમમાં ‘બાહુબલી’ પ્રભાસની મીણની મૂર્તિ લગાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી બાદ પ્રભાસ આ મ્યૂઝિયમમાં મૂર્તિ હોય તેવા ત્રીજા ભારતીય બની ગયો છે.