'બાહુબલી' પ્રભાસના લગ્નને લઈને તેની બહેનો કર્યો મોટો ખુલાસો, જાણો
મુંબઈઃ પહેલા ફેન્સ જાણવા માગતા હતા કે બોલીવુડના દબંગ સલમાન ખાન લગ્ન ક્યારે કરશે. પરંતુ હવે લોકો એ જાણવા માગે છે કે બાહુબલી પ્રભાસ ક્યારે લગ્ન કરશે. કારણ કે બાહુબલી સીરઝની બે શાનદાર ફિલ્મ બાદ વૈશ્વિક સ્ટાર બની ગયા છે. હવે પ્રભાસનો વિશ્વભરમાં અમરેન્દ્ર બાહુબલી તરીકે ડંકો વાગી રહ્યો છે.
પ્રભાસે પણ હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાના લગ્નને લઈને મૌન તોડ્યું હતું. તેણે કહ્યું હતું કે, હાલમાં મારી ફિમેલ ફેન્સે ચિંતા કરવાની જરૂરત નથી, હું એવું કંઈપણ કરવા નથી જઈ રહ્યો. ત્યાં સુધી કે મેં લગ્ન વિશે હજુ સુધી વિચાર્યું પણ નથી. હું ખુદને ભાગ્યશાલી સમજું છું જ્યારે લોકો મારા વખાણ કરે છે.
ફિલ્મ ઉદ્યોગમાં દરેક હીરોઈન પ્રભાસ સાથે કામ કરવા માગે છે. બાહુબલીની અપાર સફળતા બાદ હાલમાં તેમી કો-સ્ટાર અનુષ્કા શેટ્ટી સાથે લિંક અપના સમાચાર પણ ચર્ચામાં છે. એટલું જ નહીં આ બન્નેના લગ્નના સમાચાર પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. અનેક અહેવાલમાં તો એવું પણ કહેવામાં આવ્યું છે કે, બન્ને ટૂંકમાં જ લગ્ન કરી લેશે. જોકે પ્રભાસના લગ્નને લઈને તેની બહેનો મોટો ખુલાસો કર્યો છે.
ઇન્ડિયા ડોટ કોમમાં પ્રકાશિત અહેવાલ અનુસાર પ્રભાસનની બહેન પ્રગથીએ કહ્યું છે કે, અમે પણ તેના લગ્નને લઈને ઉત્સુક છીએ. જોકે લગ્ન કંઈ ગમે ત્યારે થાય એવી વસ્તુ નથી. હાલમાં પ્રભાસ તેની કારકિર્દી પર ભાર આપી રહ્યો છે. જોકે તેની પિતરાઈ અને તેની બહેને પણ તેના લગ્ન માટે મોટી યોજના બનાવી છે.