આ બોલીવુડ એક્ટરને મળી યુવરાજ સિંહના બાયોપિકમાં કામ કરવાની ઓફર, જાણો કોણ

આ પહેલા પણ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી, અઝહર અને સચિનના જીવન પર આધારિત ફિલ્મો બની છે.
જો કે એક અટકળ એવી પણ છે કે યુવીના મનમાં આ પોતાના રોલ માટે અક્ષય કુમારનું નામ છે. એક ટોક શોમાં યુવીએ આ રોલ માટે અક્કીને પરફેક્ટ ગણાવ્યો હતો.
ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન યુવરાજ સિંહે કેન્સરને લડત આપી હતી.35 વર્ષીય ક્રિકેટરને ભારતીય ટીમમાં મહત્વના માનવામાં આવે છે છે ખાસ કરીને ઓડીઆઈ માટે.
ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં રણબીરે યુવીના બાયોપિકમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
નવી દિલ્લી: હાલ બોલીવુડમાં સ્પોર્ટ્સ પર્સનના જીવન આધારિત ફિલ્મોની ધૂમ છે. ‘દંગલ’, ‘એમ.એસ. ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘સુલતાન’ વગેરે જેવી ફિલ્મોએ સારી કમાણી કરી છે. હવે યુવરાજ સિંહના જીવન પર આધારિત ફિલ્મ પણ આવી રહી છે.
જો કે યુવરાજના બાયોપિકમાં તેનો રોલ બોલીવુડના એક્ટરને આપવામાં આવશે તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. અને આ જાણવાની યુવીના ફેંસમાં ઉત્સુકતા છે. અહેવાલો છે કે રણબીર કપૂરને આ રોલ ઓફર કરવામાં આવ્યો છે. રણબીર પોતે પણ ફૂટબોલના મોટા ફેન છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એક વાર રણબીરે યુવીનો રોલ કરવાની ઈચ્છા દર્શાવી હતી.
રણબીરના નજીકના સૂત્રનું કહેવું છે કે યુવીના રોલની ઓફર રણબીરને થઈ છે. પણ તેણે આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.