આ બોલીવુડ સ્ટારે કપિલ શર્મા અને સુનીલને આપી આવી સલાહ, જાણો શું કહ્યું
ઋષિ કપૂરે ટ્વિટ કરીને આ સલાહ આપી છે. ઋષિએ લખ્યુ છે કે IPL સન રાઈઝર્સ હૈદરાબાદ ટીમમાં કપિલ જેવો કોઈ પ્લેયર છે. શું કોઈએ બીજી ટીમમાં સુનીલ ગ્રોવરને જોયો છે. મળી જાઓ યાર
જો કે ઋષિ કપૂરના ટ્વિટ પર સુનીલે જવાબ આપ્યો છે કે, સર હું આ સીઝનમાં નથી કેમકે મને ઈજા પહોંચી હોવાથી રિટાયર્ડ થઈ ગયો છું.
નવી દિલ્લી: કોમેડિયન કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર ફરી એક થઈ જાય એવું તેમના ફેંસ ઈચ્છે છે. પણ બંને કલાકાર સમાધાનના મૂડમાં નથી. બંને એકબીજા સાથે ફરી કામ કરવા લાગે તે માટે ઘણા લાકાકારો પ્રયત્ન કરી રહ્યા છે. હવે ઋષિ કપૂરે પણ આ બંનેને ભેગા થવાની સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે ઓસ્ટ્રેલિયાથી પાછા આવતા ફ્લાઈટમાં કપિલ અને સુનીલ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં કપિલે કથિત રીતે સુનીલને ચપ્પલ માર્યુ હતું અને અપમાનિત કર્યો હતો. આ પછી સુનીલ ગ્રોવર, ચંદન પ્રભાકર, અલી અસગર અને સુગંધા મિશ્રા ધ કપિલ શર્મા શોમાં દેખાયા નથી. આ પછી શોમાં ઉપાસના સિંહ, રાજૂ શ્રીવાસ્તવ અને યશવંતની એંટ્રી થઈ છે.