Lock Upp : કંગના રનૌતનો શો લોક અપ હાલમાં ચર્ચામાં છે. દરેક વ્યક્તિ શોમાં આવેલા સ્પર્ધકો વિશે જાણવા માંગે છે. ફેશન ડિઝાઈનર સાયશા શિંદે આ સપ્તાહના અંતે શોમાં પરત ફરી છે. શોમાં  પાછા આવતાની સાથે જ તેણે કંગના રનૌત માટે લખેલો માફી પત્ર વાંચ્યો. તમને જણાવી દઈએ કે કંગના સાથેના ઝઘડા બાદ સાયશાને પહેલા શોમાંથી કાઢી મૂકવામાં આવી હતી. સાયશાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કંગના માટે લખેલી નોટ પર માફી માંગતી જોવા મળી રહી છે. જુઓ આ વિડીયો - 



સાયેશાએ  કહ્યું કે મારી માતા, બહેન અને કંગનાનો દૃષ્ટિકોણ અલગ હોઈ શકે છે પરંતુ આપણે અલગ હોઈ શકતા નથી. હું કંગનાનું અપમાન સ્વીકારતી  નથી કારણ કે કંગના આ જેલની માલિક છે અને હું અહીં કેદી છું. હજારો કેદીઓ આવશે પણ જેલની માલિક અન્ય કોઈ નહીં હોય. તેણે આ શો બનાવ્યો છે. જો કંગના નહીં હોય તો લોકઅપ નહીં હોય. કૃપા કરીને મારી માફી સ્વીકારો અને મને તમને હસાવવાની તક આપો.


સાયશાએ આખો માફીપત્ર વાંચ્યા બાદ કંગનાએ તેની માફી સ્વીકારી હતી. તમને જણાવી દઈએ કે જજમેન્ટલ ડે પર જ્યાં સાયશા અને કરણવીર બોહરા શોમાં પાછા ફર્યા છે ત્યાં નિશા રાવલને એલિમિનેટ કરવામાં આવી છે.


કંગનાએ સાયશાને કહી દીધું હતું, ‘ગેટ લોસ્ટ’
લોકઅપ દિવસેને દિવસે વધુ રસપ્રદ બનતું જણાય છે અને OTT પર ધમાલ મચાવી રહ્યું છે.આ અત્યાચારી ગેમમાં કેદીઓ તરીકે આવેલા સ્પર્ધકો તેમની ધીરજ  ગુમાવતા જોવા મળે છે.જ્યારે જેલર કુન્દ્રાએ તાજેતરમાં ચેતન હંસરાજને તેની ઉદ્ધતતાને કારણે ખતમ કરી દીધો હતો, ત્યારે સાયશા શિંદે હવે કંગના રનૌત સાથે લડતી જોવા મળી હતી.હિંમત બતાવીને સાયશાએ જેલની રાણીને જ આ અત્યાચારી રમતમાં ફસાવી અને તેની સાથે ઉદ્ધત વર્તન આચર્યું હતું. 


કંગના પોતાની સામેના  સૌથી મોટા સ્ટાર્સને પણ છોડતી નથી, તો સાયશા શિંદેને કેમ છોડી દે? .ગુસ્સામાં લાલ ઘુમ થઈ ગયેલી કંગનાએ શોમાં સાયશાએ કરેલી ઉદ્ધતાઈનો જવાબ આપ્યો હતો. 


એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો  જેમાં સાયશા કંગના રનૌત પ્રત્યે ગુસ્સો કરતી જોવા મળી હતી, તો કંગના રનૌતે પણ ગુસ્સો દર્શાવવામાં મોડું ન કર્યું, અને કહ્યું કે મારી સાથે ખરાબ વર્તન નહીં ચાલે. કંગના રનૌતે કરણવીર અને સાયશા શિંદેને પ્રશ્નો કર્યા હતા અને સાયશાને જેલમાં તેના વર્તન માટે અને ગાર્ડ સાથે દુર્વ્યવહાર કરવા બદલ ફટકાર લગાવી અને ‘ગેટ લોસ્ટ’ કહી દીધું હતું.