રણવીર-દીપિકાની ફિલ્મ ‘પદ્માવતી’ આ વર્ષે નહીં થાય રીલીઝ, જાણો શું છે કારણ?
જણાવી દઈએ કે મહારાણી પદ્માવતીની આ બાયોપિક છે. તેમની ભૂમિકામાં દીપિકા પાદુકોણ નજર આવનારી છે. રણવીર સિંહ અલાઉદ્દીન ખિલજી અને શાહિદ કપૂર રાજા રતન સિંહની ભૂમિકામાં નજર આવશે. ફિલ્મમાં અદિતિ રાવ હૈદરી પણ નજર આવશે.
નવી દિલ્લી: સંજયલીલા ભંણસાલીની રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂર સ્ટાર ફિલ્મ ‘પદ્માવતી’ આવતા વર્ષના એપ્રિલ સુધી પાછળ ધકેલાઈ ગઈ છે. પહેલા આ ફિલ્મ આ વર્ષની 17મી નવેમ્બર રિલીઝ થવાની હતી.
ભંણસાલીની આ ફિલ્મ શરૂઆતથીજ મુશ્કેલીનો સામનો કરી રહી છે. પહેલા ભંણસાલી પ્રોડ્યૂસરની શોધ કરતા રહ્યા ત્યારબાદ જયપુરમાં શૂટિંગના સમયે વિરોધ પ્રદર્શન થયો. હવે આ ફિલ્મ એકવાર ફરી આઠ મહિના સુધી ફિલ્મી કેલેન્ડરમાંથી બહાર થઈ ગઈ છે.
પદ્માવતી ફિલ્મ પાછળ મોડી રિલીઝ થવાનું કારણ મોટી સંખ્યામાં ખાસ ઇફેક્ટસ અને સ્ટાર કાસ્ટના ઘણા સીનના શૂટિંગ ન થવાનું કારણ છે. જો કે, ભંણશાલીના પ્રોડક્શન હાઉસમાં ફિલ્મના મોડી રિલીઝ થવાની કોઈજ પુષ્ટિ કરી નથી. પરંતુ મીડિયા રિપોર્ટના ટ્રેંડ એક્સપર્ટેમાં જણાવવામાં આવી રહ્યું કે, આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની સ્થિતિમાં નથી.
સૂત્રો અનુસાર, આ ફિલ્મ આવતા વર્ષે એપ્રિલમાં રીલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ 150 કરોડ રૂપિયાના બજેટમાં બની રહી છે. આ ફિલ્મમાં યુદ્ધના પણ અનેક સીન છે. જેમાં વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.