સૈફ અલીખાને હજું બોલિવૂડમાં એન્ટ્રી લીધી જ હતી કે, તેઓ તે સમયની સુપરસ્ટાર અમૃતા સિંહ પર ફિદા થઇ ગયા. પહેલી જ મુલાકાતમાં બંનેએ સાથે જિંદગી વિતાવવાનું નક્કી કર્યું. 



સૈફ અલી ખાને પટોડી પરિવારની વિરૂ્દ્ધ જઇને અમૃતા સિંહ સાથે લગ્ન કરી લીધા.લગ્નના થોડા વર્ષ સુધી તો બધું જ ઠીક ચાલ્યું પરંતુ ત્યારબાદ વાદ વિવાદ શરૂ થતાં બંનેએ અલગ થવાનો નિર્ણય કરી લીધો. 2004માં બંનેના ડિવોર્સ પર સરકારની મોહર લાગી ગઇ. 




પેરેન્ટના ડિવોર્સના બે વર્ષ બાદ સારા અલી ખાને આપેલા એક ઇન્ટરવ્યુમાં ડિવોર્સના કારણો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું. કે, "અમૃતાના સંબંધ સાસુ શર્મિલા અને નણદ સોહા સાથે સારા ન હતા. વાદ વિવાદ ખૂબ જ વધી ગયો હતો. અમૃતા સૈફને બાળકોને પણ ન હતી મળવા દેતી"




સારાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "એક ઘરમાં ઘુટન સાથે માત્ર બાળકો માટે રહેવા કરતા અલગ થઇ જવું બેસ્ટ ઓપ્શન છે. દૂર રહીને કમ સે કમ બંને પરિવાર આજે ખુશ તો છે"