✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શાહરૂખ-અનુષ્કા કપિલ શર્માના શોમાં શૂટિંગ કર્યા વિના કેમ જતાં રહ્યાં ? જાણો કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Jul 2017 02:11 PM (IST)
1

કપિલ શર્મા પોતાની આગામી ફિલ્મ ફિરંગીના શૂટિંગમાં પણ સતત વ્યસ્ત રહે છે. આ બધી દોડધામના કારણે તેની તબિયતને ભારે અસર પહોંચી છે અને તે શૂટિંગ દરમિયાન જ બેભાન થઈ ગયો હતો. એવી પણ અફવા છે કે સોની ટીવીએ કપિલને તેનો શો ઓગસ્ટથી બંધ કરવાની સૂચના આપી છે તેથી તેની આ હાલત થઈ હતી.

2

કપિલ શર્મા બેભાન થઈ જતાં શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા શૂટિંગ કર્યા વિના જ પાછાં જતાં રહ્યાં હતાં. કપિલ શર્માને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ખબરને શોના બીજા કોમેડિયન કીકૂ શારદાએ સમર્થન આપ્યું છે. કિકૂએ જણાવ્યું કે કપિલ હાલ હોસ્પિટલમાં છે અને તેમનો પરિવાર પણ તેની સાથે છે.

3

શુક્રવારે કપિલના શો માં શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા પોતાની ફિલ્મ જબ હેરી મેટ સેજલના પ્રમોશન માટે આવ્યા હતા. પંરતુ તેમના આવ્યા પહેલાં જ કપિલની તબીયત લથડી હતી અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કીકૂએ જણાવ્યું કે તેમના શોનું રેગ્યુલર શુટિંગ 11 અને 13 જૂલાઈના થશે.

4

મુંબઈ: કૉમેડિયન કપિલ શર્મા તેના સોની ટીવી પર ચાલતા શો ધ કપિલ શર્મા શોના શૂટિંગ દરમિયાન સેટ પર જ બેભાન થઈ ગયો હોવાના સમાચાર છે. શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા પોતાની આગામી ફિલ્મ જબ હેરી મેટ સેજલના પ્રમોશન માટે કપિલના શોમાં આવ્યાં હતાં ત્યારે જ આ ઘટના બની હતી.

5

કપિલ શર્માના શોમાંથી સુનિલ ગ્રોવર, અસગર અલી અને સુગંધાની વિદાય પછી આ શોની ટીઆરપી સતત ઘટી રહી છે. તેના કારણે કપિલ શર્મા ભારે તણાવમાં છે. બીજી તરફ કપિલ શર્માના હરીફ મનાતા અભિષેક કૃષ્ણાએ સોની ટીવી પર જ બીજો કોમેડી શો શરૂ કર્યો છે. તેના કારણે કપિલ પર દબાણ વધ્યું છે.

  • હોમ
  • મનોરંજન
  • શાહરૂખ-અનુષ્કા કપિલ શર્માના શોમાં શૂટિંગ કર્યા વિના કેમ જતાં રહ્યાં ? જાણો કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.