શાહરૂખ-અનુષ્કા કપિલ શર્માના શોમાં શૂટિંગ કર્યા વિના કેમ જતાં રહ્યાં ? જાણો કારણ
કપિલ શર્મા પોતાની આગામી ફિલ્મ ફિરંગીના શૂટિંગમાં પણ સતત વ્યસ્ત રહે છે. આ બધી દોડધામના કારણે તેની તબિયતને ભારે અસર પહોંચી છે અને તે શૂટિંગ દરમિયાન જ બેભાન થઈ ગયો હતો. એવી પણ અફવા છે કે સોની ટીવીએ કપિલને તેનો શો ઓગસ્ટથી બંધ કરવાની સૂચના આપી છે તેથી તેની આ હાલત થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકપિલ શર્મા બેભાન થઈ જતાં શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા શૂટિંગ કર્યા વિના જ પાછાં જતાં રહ્યાં હતાં. કપિલ શર્માને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ખબરને શોના બીજા કોમેડિયન કીકૂ શારદાએ સમર્થન આપ્યું છે. કિકૂએ જણાવ્યું કે કપિલ હાલ હોસ્પિટલમાં છે અને તેમનો પરિવાર પણ તેની સાથે છે.
શુક્રવારે કપિલના શો માં શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા પોતાની ફિલ્મ જબ હેરી મેટ સેજલના પ્રમોશન માટે આવ્યા હતા. પંરતુ તેમના આવ્યા પહેલાં જ કપિલની તબીયત લથડી હતી અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કીકૂએ જણાવ્યું કે તેમના શોનું રેગ્યુલર શુટિંગ 11 અને 13 જૂલાઈના થશે.
મુંબઈ: કૉમેડિયન કપિલ શર્મા તેના સોની ટીવી પર ચાલતા શો ધ કપિલ શર્મા શોના શૂટિંગ દરમિયાન સેટ પર જ બેભાન થઈ ગયો હોવાના સમાચાર છે. શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા પોતાની આગામી ફિલ્મ જબ હેરી મેટ સેજલના પ્રમોશન માટે કપિલના શોમાં આવ્યાં હતાં ત્યારે જ આ ઘટના બની હતી.
કપિલ શર્માના શોમાંથી સુનિલ ગ્રોવર, અસગર અલી અને સુગંધાની વિદાય પછી આ શોની ટીઆરપી સતત ઘટી રહી છે. તેના કારણે કપિલ શર્મા ભારે તણાવમાં છે. બીજી તરફ કપિલ શર્માના હરીફ મનાતા અભિષેક કૃષ્ણાએ સોની ટીવી પર જ બીજો કોમેડી શો શરૂ કર્યો છે. તેના કારણે કપિલ પર દબાણ વધ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -