સેક્સ વર્કર્સથી પરેશાન થઈ શાહિદ કપૂર અને મીરા રાજપૂત છોડશે ઘર, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Feb 2018 09:55 AM (IST)
1
સંજય લીલા ભણશાલીની વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતમાં રાજાનો રોલ કર્યા બાદ હાલ શાહિદ બત્તી ગુલ મીટર ચાલુનું શૂટિંગ કરી રહ્યો છે.
2
મુંબઈઃ બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર અને મીરા રાજપૂત એક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ કારણે તેમણે હવે ઘર બદલવાનું નક્કી કર્યું છે.
3
શાહિદે આ ફ્લેટ 2014માં ખરીદ્યો હતો, જે સમયે તે અપરિણીત હતો. હવે શાહિદ-મીરા બાંદ્રાના નવા ઘરમાં શિફ્ટ થવાના છે.
4
શાહિદના ઘરથી માંડ અડધા કિ.મી.ના અંતરે જુહૂ બીચની આસપાસ દેહવેપાર થાય છે, જ્યાં ઘણી રૂપજીવિનીઓ અને દલાલો ઊભા રહે છે. તેના કારણે શાહિદ માટે આ વિસ્તારમાં પરિવાર સાથે રહેવું ખૂબ મુશ્કેલ થઇ ગયું છે. તેથી હવે આ કપલે ઘર બદલવાનો નિર્ણય કર્યો છે.
5
આ સેલિબ્રિટી કપલ મુંબઇના જુહૂ સ્થિત પ્રણેતા એપાર્ટમેન્ટમાં રહે છે. આ વિસ્તારમાં રૂપજીવિનીઓના ત્રાસથી તેઓ પરેશાન છે.