કરીના કપૂર સાથે એક શોમાં વાતચીત દરમિયાન શર્મિલા ટાગોરે કહ્યું, “કાલે જો વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ઘરે પારણું બંધાય તો તૈમુરને ભુલી જવામાં આવશે.” જેના પર કરીનાએ કહ્યું, આવું જ થાય.
શર્મિલા ટાગોર, કરીનાના ચેટ શો વોટ વુમન વોંટની બીજી સીઝનની પ્રથમ મહેમાન હતી. જેમાં તેમણે કહ્યું, સોશિયલ મીડિયા ચિંતાનું કારણ છે. તમારું બાળક અનેક ચીજોના પ્રભાવમાંથી પસાર થશે. તમે તેને કંટ્રોલ ન કરી શકો. જ્યારે તે મોટું થશે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે ત્યારે અનેક જાણકારીઓ મળશે. મીડિયા તમને ચમકાવે છે અને બાદમાં અચાનક પછાડી દે છે.
તેણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું, તૈમુર હાલ ઘણો નો છે. આ ઉંમરમાં આવી ચીજોથી કોઈ ફરક પડતો નથી પરંતુ જ્યારે તે સાત-આઠ વર્ષનો થશે ત્યારે આ ઉત્સાહને જોશે અને બાદમાં તેને નજરઅંદાજ કરવામાં આવશે તો ઘણો ફર્ક પડશે.