શિલ્પા શેટ્ટીએ માંગી માફી, વાલ્મિકી સમાજ પરની કૉમેન્ટથી થયો હતો હોબાળો
શિલ્પા શેટ્ટીએ કરેલા ટ્વિટનો સ્ક્રીન શોટ
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ વાલ્મીકિ સમાજ પર કરેલી કમેન્ટ સંદર્ભે શનિવારે સાંજે ટ્વિટ કરીને માફી માંગી હતી. શિલ્પા અને સલમાન ખાન સામે શનિવારે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.
વિવાદિત ટિપ્પણીના કારણે રિપબ્લિક કાર્યકર્તા સલમાનની ફિલ્મ ટાઇગર ઝિંદા હૈનો વિરોધ પણ કરી ચૂક્યા છે. રાજસ્થાન, યુપી અને ગુજરાતમાં પણ ફિલ્મ વિરોધ થયો છે. જયપુરના રાજ થિયેટરમાં ફિલ્મના શો દરમિયાન તોડફોડ પણ થઈ હતી.
શુક્રવારે સમગ્ર મામલામાં નેશનલ કમીશન ફોર શેડ્યૂલ ટ્રાઇબે નોટિસ જાહેર કરીને સૂચના તથા પ્રસારણ મંત્રાલય અને દિલ્હી-મુંબઈના પોલીસ કમિશ્નર્સ પાસેથી 7 દિવસમાં જવાબ માંગ્યો છે.
શિલ્પાએ બીજું ટ્વિટ કરીને કહ્યું કે, જો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું.
શિલ્પાએ ટ્વિટ કરીને લખ્યું કે, મારા જુના ઇન્ટરવ્યૂના શબ્દોનો ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા. આ શબ્દો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચવાના હેતુથી બોલવામાં નહોતા આવ્યા.