‘કિસી ગુંડે કો CM બનાયા જા સકતા હૈ તો દાઉદ CBI કા ડિરેક્ટર હોના ચાહિયે’, યોગી વિશે કઈ ફિલ્મી હસ્તીએ કરી આ અને બીજી ગંદી કોમેન્ટ?
આ પોલીસ ફરિયાદ નોંધાતાં ફફડી ગયેલા કુંદરે પોતાની ટ્વિટ ડીલીટ કરી નાંખી હતી. તેણે ટ્વિટ કરીને લોકોની માફી પણ માગી છે. કુંદરે લખ્યું છે કે, મારો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો નહોતો પણ છતાં એવું થયું હોય તો હું માફી માગું છું. કુંદર ફિલ્મ સર્જક અને કોરીયોગ્રાફર ફરાહ ખાનનો પતિ છે.
મુંબઈઃ ભાજપે યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવ્યા તે સામે જુદાં જુદાં ક્ષેત્રનાં લોકો તરફથી અલગ અલગ પ્રકારની ટીકાઓ આવી રહી છે ત્યારે ફિલ્મ સર્જક શીરિષ કુંદરે અત્યંત વાંધાજનક ટીપ્પણીઓ કરી છે. કુંદરે યોગી આદિત્યનાથને ગુંડા ગણાવીને અત્યંત ગંદા પ્રકારની કોમેન્ટ્સ કરી છે.
કુંદર આ કોમેન્ટ કરીને અટક્યા નહોતા. તેમણે એ પછી એવી ટ્વિટ પણ કરી કે, એક ગુંડાને મુખ્યમંત્રી બનાવવા પાછળનો તર્ક એ હોય કે તેના કારણે તે સારી રીતે વર્તશે તો પછી આ લોજિક હેઠળ તો દાઉદ ઈબ્રાહીમ સીબીઆઈનો ડિરેક્ટર હોવો જોઈએ અને વિજય માલયા રીઝર્વ બેંકનો ગવર્નર હોવો જોઈએ.
કુંદરની આ ટ્વિટ સામે હોબાળો થયો હતો અને ઉત્તર પ્રદેશમાં તેની સામે પોલીસ ફરિયાદ પણ થઈ છે. અયોધ્યાના ઠાકુરદ્વારા ટ્રસ્ટના સેક્રેટરી અમિત કુમારે નોંધાવેલી પોલીસ ફરિયાદના આધારે લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે, તેમ ડેપ્યુટી એસ.પી. અવનિશ કુમાર મિશ્રે જણાવ્યું છે.
કુંદરે યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા એ પછી ટ્વિટર પર એવી કોમેન્ટ કરી હતી કે, એક ગુંડાને શાસન કરવા દેવાથી કોમી રમખાણો અને તોફાનો અટકી જશે એવી આશા રાખવી એ એક બળાત્કારીને બળાત્કાર કરવા દો તેના કારણે બળાત્કાર બંધ થઈ જશે તેવી આશા રાખવા બરાબર છે.