મુંબઈ: કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન છે. લોકો પોતાના ઘરમાં રહેવા મજબૂર છે,એવામાં દૂરદર્શન તરફથી રોજ રામાયણ અને મહાભારત બતાવવામાં આવે છે. લોકો આ સીરિયલ્સને ખૂબ પસંદ કરી રહ્યા છે, અને પોતાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર મુકે છે. ફરિ એક વખત આ સીરિયલ્સના બનવા પાછળનો કિસ્સો શરૂ થયો છે. લોકો આ સીરિયલ્સ બનવા પાછળના રોચક કિસ્સાઓ જાણવા માટે બેતાબ છે. એવામાં અમે તમને જણાવી રહ્યા છીએ કે કઈ રીતે મહાભારતના સંગ્રામનો સીન શૂટ કરવામાં આવ્યો હતો.


મહાભારતનો સંગ્રામ ટીવી પર જોવામાં ખૂબ જ ભવ્ય જોવા મળે છે. સીરિયલમાં ઘણા પ્રકારના રોલ જોવા મળ્યા છે ખાસ તો સંગ્રામના સમયે ખૂબ લોકોએ આ સીરિયલ્સમાં ભાગ લીધો હતો. આ લોકો ગામડાના હતા જેઓ સૈનિકની ભૂમિકામાં જોવા મળ્યા હતા. એક ઈન્ટવ્યૂમાં રવિ ચોપડાના પત્ની રેણુ ચોપડાએ જણાવ્યું કે રાજસ્થાનના જયપુરમાં આ સીરિયલસનું શૂટિંગ ચાલી રહ્યું હતું. સીરિયલ ખૂબ જ લોકપ્રિય હોવાના કારણે સ્થાનિક લોકો આ સીરિયલમાં મફતમાં કામ કર્યું હતું.

શૂટિંગ દરમિયાન શરૂઆતની લાઈનમાં ઉભેલા સૈનિકોને હાયર કરવામાં આવ્યા હતા બાકી પાછળ જોવા મળતા સૈનિતો ગામડાના હતા જેમણે મફતમાં સીરિયલમાં કામ કર્યું હતું. આ સીરિયલનું શૂટિંગ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેતું હતું અને સ્થાનિક લોકો ખૂબ સહયોગ કરતા હતા.