શ્વેતા તિવારીએ કસોટી જિંદગી સિરિયલથી અભિનયની દુનિયામાં આગવી ઓળખ મેળવી. સિરિયલમાં તેમણે અનેક વખત સાચો પ્રેમ મળ્યો પરંતુ રિયલ લાઇફમાં તેમને વિશ્વઘાત જ મળ્યો. શ્વેતા તિવારી અનેક વખત ઇન્ટરવ્યુમાં કહી ચૂકી છે કે, ‘રાજા ચૌધરી સાથે લગ્ન કરવાનો નિર્ણય  મારી જિંદગીનો સૌથી ખોટો નિર્ણય હતો. તેમણે ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, ‘મારો પતિ મને માર મારતો, તે બધું જ મારી દીકરી પલકે જોયું છે, હું અને મારી દીકરી પલક ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થયા છીએ’




એક ઇન્ટરવ્યુમાં શ્વેતા તિવારીએ પોતાની દર્દ વ્યક્ત કરતા કહ્યું કે, લોકો હવે તેને ત્રીજા લગ્ન ન કરવાની સલાહ આપે છે. આટલું જ નહીં પલકને પણ લોકો એવું કહે છે કે, માએ 2 લગ્ન કર્યાં તો દીકરી હવે પાંચ લગ્ન કરશે. શ્વેતાએ કહ્યું કે, એવા અનેક લોકો છે, જે  વર્ષો સુધી લિવ ઇન રિલેશન શિપમાં રહે છે અને અચાનક જુદા થઇ જાય છે. તેના પર કોઇ સવાલ નથી ઉઠાવતું. મેં મારા ખોટા નિર્ણયને સુધારવા માટે ડિવોર્સનો એક નિર્ણય લીધો તો લોકો મારી સામે અનેક સવાલ ઉઠાવી રહ્યાં છે.



શ્વેતા તિવારીએ કહ્યું કે, “ આટલું જ નહીં પરંતુ મને તો લોકો એવી સલાહ આપે છે કે, હવે ત્રીજા લગ્નનો નિર્ણય ન લઇશ. મારી જિદંગીમાં શું કરવું ન કરવું તેનો નિર્ણય લેવાનો અધિકારી માત્ર મને જ છે, બીજા કોઇને મેં આ હક નથી આપ્યો તો પછી કેમ એ લોકો આવી સલાહ આપે છે”  



શ્વેતા તિવારીએ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનાર લોકો વિશે વાત કરતા કહ્યું કે, ઇન્સ્ટાગ્રામ પર કેટલાક લોકો મને કહે છે કે, મેં 2 લગ્ન કર્યાં તો મારી દીકરી પાંચ લગ્ન કરશે, જો કે સાચું કહું તો મને નથી લાગતું કે, એ ક્યારેય લગ્ન વિશે સકારાત્મક રીતે વિચારી શકશે, મારી દીકરી લગ્નનો નિર્ણય ખૂબ સમજી વિચારીને કરશે કારણ કે, તેમણે નાની ઉંમરમાં તેની માને માર ખાતી જોઇ છે.




શ્વતા તિવારીના બે વખત લગ્ન થઇ ચૂક્યા છે. 2007માં રાજા ચૌધરી સાથે ડિવોર્સ લીધા બાદ તમણે એક્ટર અભિનવ કોહલી સાથે લગ્ન કર્યાં હતા. જો કે બીજી વખત પણ લગ્ન ટકી ન શક્યા અને બંને અલગ થઇ ગયા.