સિદ્ધાર્થે શુક્લાએ ફિક્સ્ડ વિનર હોવાની વાતને નકારતા ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ ખૂબજ દુખની વાત છે કે લોકો આ પ્રકારનું વિચારે છે, આવી વાતો પર તમે શું રિએક્ટ કરી શકો. મે ઘણી મહેનત અને મુશ્કિલ જર્ની બાદ આ ખિતાબ જીત્યો છે. હવે તેના પર કોઈ સવાલ ઉઠાવે ત્યારે દુખ થાય છે. જે લોકો આવું વિચારે છે તે લોકો માટે સોરી ફીલ કરું છું.
બીગ બોસ 13ના વિનર બનીને શોમાંથી બહાર આવ્યા બાદ સિદ્ધાર્થે તમામનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે જેમણે મારા આ સફરમાં સાથ આપ્યો છે. તે તમામનો હું આભારી છું.