‘તેણે બે કલાકના સેક્સના એડવાન્સમાં પૈસા લઈ ગ્રાહકને સંતોષ ના આપ્યો એવી અફવા છે’, અભિજીતે કોના માટે કરી આવી ગંદી કોમેન્ટ

અભિજીત ભટ્ટાચાર્યએ પીટીઆઈને કહ્યું કે, ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ થવા પાછળ લેખિતા અરૂંધતી રોય અને જેએનયૂના સમર્થક છે. અભિજીતે કહ્યું કે, હાં, મે એ પણ જોયું કે તે પરેશ રાવલને બ્લોક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મે અને પરેશ રાવલે અરૂંધતી રોય અને જેએનયૂના ભારત વિરોધી સ્ટેન્ડ પર જે ટ્વિટ કર્યું છે તેની પાછલ અરૂંધતી રોય જેએનયૂના સમર્થક છે. અભિજીતે એ પણ કહ્યું કે, તેને તેનાથી કોઈ ફરક નથી પડતો કે એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું છે, કારણ કે સમગ્ર દેશ તેની સાથે છે.
તેને લઈને ટ્વિટર યૂઝર્સે પણ અભિજીતની આ ટ્વિટને લઈને ખૂબ નારાજગી વ્યક્ત કરી હતી. અનેક યૂઝર્સે અભિજીતનું એકાઉન્ટ બંધ કરવાની માગ કરતા ટ્વિટર પર તેના એકાઉન્ટને રિપોર્ટ પણ કર્યું હતું. ત્યાર બાદ અભિજીતે પોતાનું ટ્વિટ ડિલીટ કરવું પડ્યું અને બાદમાં તેનું એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તેના પર શેહલા રાશિદે તેનું સમર્થન કરનાર લોકોનો આભાર માન્યો હતો.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર અભિજીતે મંગળવારે મહિલ વિરોધી કેટલાક ટ્વિટ કર્યા. બાદમાં તેની વિરૂદ્ધ ફરીયાદ નોંધાવવામાં આવી. અભિજીતે પરેશ રાવલના ટ્વિટને રીટ્વિટ કરતાં લખ્યું કે, અરુંધતિને ગોળી મારી દેવી જોઈએ. તેની સાથે જ મંગળવારે જેએનયૂ વિદ્યાર્થી સંગઠન નેતા શેહલા રાશિદના ભાજપના નેતાઓ સેક્સ રેકેટ ચલાવતા આરોપવાળા ટ્વિટનો જવાબ આપતા તેમણે શેહલાના ચરિત્રને લઈને વાંધાજનક ટ્વિટ કર્યું.
તે ટ્વિટમાં અભિજીતે અભિનેતા અને સાંસદ પરેશ રાવલને એ વિવાદસ્પદ નિવેદનનું સમર્થન કર્યું હતું જેમાં પરેશ રાલવે કહ્યું હતું કે, અરુંધતિ રોયને કાશ્મીરમાં સેના દ્વારા જીપમાં બાંધીને ફેરવવી જોઈએ.
નવી દિલ્હીઃ પોતાના વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં રહેનાર જાણીતા પ્લેબેક સિંગર અભિજીત ભટ્ટાચાર્યને આ વખતે પોતાના ટ્વિટર પર કેટલીક એવી વાંધાજનક ટિપ્પણી કરી કે તેનું એકાઉન્ટ જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું. અભિજીતે જેએનયૂ વિદ્યાર્થી સંગઠનની નેતા શેહલા રાશિદ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. અભિજીતે ટ્વિટર પર લખ્યું કે, તેણે બે કલાકના સેક્સના એડવાન્સમાં પૈસા લઈ ગ્રાહકનો સંતોષ ના આપ્યો એવી અફવા છે.
સોશિયલ મીડિયામાં વિવાદ વધતા અભિજીતે આ ટ્વીટ તો ડિલીટ કરી દીધું પરંતુ તેનો પ્રિન્ટશોટ વાયરલ થઈ રહ્યો છે. જોકે બાદમાં મંગળવારે ટ્વિટરે અભિજીતનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું. આ પહેલા અભિજીતે પરેશ રાવલ બાદ જાણીતી લેખિકા અરુંધતિ રોયને લઈને વાંધાજનક ટ્વિટ કર્યું હતું.