મુંબઈ: બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ કહ્યું તે ફિલ્મ ‘નૂર’ માં પાકિસ્તાની પત્રકારના રોલમાં જોવા નહી મળે. આ ફિલ્મ પાકિસ્તાની સબા ઈમ્તિયાઝની નોવેલ ‘કરાચી યૂ આર કિલિંગ મી’ પર આધારિત છે.


આગામી ફિલ્મ ‘ફોર્સ 2’ ના લોંચ પર સોનાક્ષીએ ફિલ્મ ‘નૂર’ માં પોતાની ભૂમિકા વિશે વાત કરી હતી. સોનાક્ષીએ કહ્યું હું આ ફિલ્મમાં પાકિસ્તાની પત્રકારની ભૂમિકામાં નથી. ફિલ્મ પુસ્તક પર આધારિત છે, જે પાકિસ્તાની લેખક દ્વારા લખવામાં આવી છે. સ્ટોરીમાં મુંબઈનું બેકગ્રાઉન્ડ દર્શાવાયું છે.

પૂરબ કોહલી, શિબાની દાંડેકર અને કનન ગિસ સ્ટારર ફિલ્મ ‘નૂર’ આગામી સાત એપ્રિલના રિલીઝ થશે.