8 દિવસ બાદ જ વિવાદોમાં આવ્યા સોનમ કપૂર-આનંદના લગ્ન, જાણો શું લાગ્યો છે આરોપ
ઉલ્લેખનીય છે કે, સોનમ કપૂર ફિલ્મ ‘વીરે દી વેડિંગ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર પણ મુખ્ય રોલમાં છે. ફિલ્મનું નિર્માણ એકતા કપૂરે કર્યું છે. ફિલ્મ 1 જૂને રિલીઝ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવી દઈએ કે, લગ્નના થોડા દિવસ બાદ જ સોનમ કપૂર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ફ્રાન્સ રવાના થઈ ગઈ છે. સોનમ સોમવાર અને મંગળવારે રેડ કાર્પેટ પર દેખાઈ.
સોનમ અને આનંદના લગ્ન 8 મેના રોજ સિખ રીત-રિવાજથી થયા હતા. લગ્નમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી (SGPS)ના લોકો હાજર હતા. આ લોકોનો આરોપ છે કે, આનંદ કારજની વિધિ દરમિયાન આનંદ આહૂજાએ પોતાની પાઘડીમાંથી કલગી કાઢી નહોતી. જણાવી દઈએ કે, ગુરુ ગ્રંથ સાહેબની સામે કલગી પહેરવી પ્રતિબંધિત છે. આ વાતને અકાલ તખ્તને ધ્યાનમાં લીધી છે અને SGPSના લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
નવી દિલ્હીઃ સોનમ કપૂર અને આનંદ આહૂજાએ 8 મેના રોજ લગ્ન કર્યા હતા. બન્નએ શિખ સમુદાયના રીતિ રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા. પરંતુ આ સમુદાયના કેટલાક લોકોએ સોનમ અને આનંદ પર ધાર્મિક ભાવનાઓને દુભાવવાનો આરોપ લગાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -