Confirm: કપૂર પરિવારમાં વાગશે શરણાઈ, ભારત નહિં જિનીવામાં લગ્ન કરશે આ એક્ટ્રેસ

સોનમે ભલે પોતાની રિલેશનશિપ વિષે ક્યારેય ખુલીને કંઈ ન કહ્યું હોય પણ અનેક ઈવેન્ટમાં આનંદ અને સોનમ સાથે જોવા મળતા હતા. ગયા વર્ષે સોનમને નીરજા ફિલ્મ માટે નેશનલ અવોર્ડ મળ્યો ત્યારે પણ અનિલ કપૂર અને સુનીતા કપૂરની સાથે આનંદ પણ હાજર હતો.
આ પહેલા જયપુર અને ઉદયપુરમાં લગ્નનો વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ ફાઈનલી જિનીવામાં લગ્ન કરવાનું ફાઈનલ કરવામાં આવ્યું. લગ્ન પહેલા સગાઈ પણ કરવામાં આવશે, જો કે તે ક્યાં થશે તેની જાણ નથી થઈ.
લગ્નમાં પહેલા સંગીત અને મહેંદી ફંક્શન થશે, પછી હિન્દુ રિવાજ અનુસાર લગ્ન કરવામાં આવશે. સોનમે લગ્ન માટે વેન્યુ પસંદ કરવામાં લગભગ 3 મહિનાથી વધારે સમય લગાવ્યો.
સોનમ કપૂરની વેડિંગ પ્લાન કરનારી ટીમના એક સૂત્રએ જણાવ્યું કે લગ્ન માટે ડેટ અને વેન્યુ ફિક્સ કરી લેવામાં આવ્યું છે. હવે આખા પરિવાર અને સંબંધીઓની ફ્લાઈટ બુક કરવામાં આવી રહી છે. સોનમના પિતા અનિલ કપૂર પર્સનલી ફોન કરીને લોકોને ઈનવાઈટ કરી રહ્યા છે.
મીડિયા અહેવાલ અનુસાર સોનમ કપૂરના પિતા અનિલ કપૂરે ગેસ્ટ લિસ્ટ તૈયાર કરી લીધું છે. અનિલ કપૂર તમામ ગેસ્ટને ખુદ ફોન કરીને લગ્નનું આમંત્રણ આપી રહ્યા છે. લગ્નની તમામ સેરેમની માટે બે દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે. 11-12 મેના રોજ લગ્ન સાથે જોડાયેલ તમામ વિધિ પૂરી કરવામાં આવશે.
નવી દિલ્હીઃ થોડા દિવસથી અહેવાલ આવી રહ્યા હાત કે સોનમ કપૂર પોતાના બોયફ્રેન્ડ આનંદ આહૂજા સાથે લંડનમાં લગ્ન કરવા જઈ રહી છે. હવે લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર વીર દી વેડિંગની રિલીઝ પહેલા સોનમ કપૂર 11 અને 12 મેના રોજ જિનીવામાં લગ્ન કરશે.