✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શ્રીદેવીનાં પાર્થિવ શરીરને ભારતમમાં લાવવામાં થઈ શકે છે વિલંબ, જાણો શું છે કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Feb 2018 02:14 PM (IST)
1

નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ શ્રીદેવીનું નિધન શનિવારે રાત્રે થયું હતું. મોતના અહેવાલ બાદથી જ બોલીવુડ ઉદ્યોગ અને દેશમાં શોકનો માહોલ છે. શ્રીદેવાનું પાર્થિવ શરીર હજુ પણ દુબઈમં છે અને જે રીતે તેનું પાર્થિવ શરીર લાવવામાં વિલંબ થઈ રહ્યો છે તેને જોતા અનેક વાતો સામે આવી રહી છે.

2

શ્રીદેવીનું પોસ્ટમોર્ટમ થઈ ગયું છે પરંતુ હજુ પણ અહેવાલની રાહ જોવામાં આવી રહી છે. આ જ કારણે શ્રીદેવીનું ડેથ સર્ટિફિકેટ હજુ સુધી બન્યું નથી. હજુ પણ પાર્થિવ શરીર પોલીસની કસ્ટડીમાં છે. કાયદાકીય પ્રક્રિયામાં બેથી ત્રણ કલાક લાગી શકે છે.

3

બીજી બાજુ દુબઈમાં ઓફીસ 4-30 કલાક સુધી જ ખુલી હે છે તેને જોતા જો ત્યાં સુધીમાં બધી કાયદાકીય પ્રક્રિયા પૂરી નહીં થાય તો કદાચ આજે પાર્થિવ શરીર ભારત ન પણ આવી શકે તેવા પણ અહેવાલ છે.

4

અત્યાર સુધી કહેવામાં આવતું હતું કે શ્રીદેવીનું મોત હૃદયરોગના હુમલાને કારણે થયું છે પરંતુ પોસ્ટપોર્મટ અહેવાલ ન આવે ત્યાં સુધી કહી ન શકાય કે મોતનું કારણ શું છે. સ્થાનીક મીડિયા ગલ્ફ ન્યૂઝનું કહેવું છે કે જો અહેવાલમાં એવું જાણવા મળે કે તેનું મોત હૃદયરોગના હુમલાને કારણે નથી થયું તો પાર્થિવ શરીર લાવવામાં વિલંબ થઈ શકે છે. હાલમાં શ્રીદેવીના લોહી અને ઓટોપ્સી અહેવાની રાહ જોવામાં આવી રહી છે.

5

ગલ્ફ ન્યૂઝ અનુસાર, પરિવાર તરફથી કહેવામાં આવી રહ્યું છે કો મોતનું કારણ હૃદયરોગનું હુમલો છે. પરંતુ એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે મોત પહેલા તે પોતાના હોટલના રૂમના બાથરૂમમાં પડી ગઈ હતી. માટે મોતના કારણ માટે પોસ્ટમોર્ટમ અહેવાલની રાહ જોવામાં આવશે.

  • હોમ
  • મનોરંજન
  • શ્રીદેવીનાં પાર્થિવ શરીરને ભારતમમાં લાવવામાં થઈ શકે છે વિલંબ, જાણો શું છે કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.