શ્રીદેવીના મોતનું રહસ્ય વધુ ઘેરુ બન્યું? પીએમ રિપોર્ટ બાદ ઉભા થયા આ ગંભીર સવાલો...
નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ શ્રીદેવીના અંતિમ દર્શન માટે મુંબઈ સ્થિત તેના આવાસ પર લોકોએ હજુ રાહ જોવી પડશે. શ્રીદેવીનો પોસ્ટમોર્ટ અહેવાલ આવી ગયો છે. પરંતુ હજુ સુધી તેના પાર્થિવદેહને પરિવારને સોંપવામાં આવ્યો નથી. દુબઈ પોલીસ હજુ પણ શ્રીદેવીના મોતની તપાસ કરી રહી છે. શ્રીદેવીનું મોત શનિવારે રાત્રે દુબઈની હોટલમાં થયું હતું. પીએમ રિપોર્ટ પ્રમાણે, શ્રીદેવીનું નિધન દારૂના નશામાં બેલેન્સ ગુમાવતા બાથટબમાં ડૂબી જવાને કારણે થયું હતું. આ અભિનેત્રીના રહસ્યમ મોતથી અને સવાલો શંકા ઉપજાવે તેવા છે, તેના જવાબ મળવા જ રહ્યા. આગળ વાંચો શ્રીદેવીના મોત બાદ ઉભા થયેલા સવાલો વિશે....
શું શ્રીદેવી કોઇ સ્ટ્રેસમાં હતી?
પતિ-દીકરી મુંબઈ પરત આવી ગયા પણ શ્રીદેવી દુબઈમાં શું કરતી હતી?
ઘટના સમયે બોની કપૂર કયા હતા?
બાથટબ પાણીથી ભરેલું હતું કે ખાલી?
શ્રીદેવીના મોતનું કારણ શું? દારૂ, કાર્ડિયેક એરેસ્ટ કે અન્ય કોઈ?
ભારતથી કેમ બોની કપૂર અચાનક જ દુબઈ પરત આવ્યો, શું શ્રીદેવી તથા બોની કપૂર વચ્ચે કોઈ ઝઘડો થયો હતો?
48 કલાક સુધી હોટેલના રૂમની બહાર કેમ નહોતી આવી?
બાથરૂમમાંથી બહાર કઢાઈ ત્યારે શ્રીદેવીના નાકમાંથી લોહી કેમ ટપકતું હતું?
બાથટબમાં કેવી રીતે પડી, આકસ્મિક રીતે કે કોઈએ ધક્કો માર્યો?