આંખોથી જોઈ નથી શકતો, છતાં શ્રીદેવીના અંતિમ દર્શને પહોંચ્યો ફેન, જાણો શું કહ્યું
મુંબઈઃ દિવંગત અભિનેત્રી શ્રીદેવીનો પાર્થિવ દેહ સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ ખાતે અંતિમ દર્શનાથે મુકવામાં આવ્યો હતો. શ્રીદેવીના કેટલાક પ્રશસંકો એવા પણ છે જેમણે તેને ક્યારેય જોઇ નથી પરંતુ આ અભિનેત્રીએ તેમને નવી જિંદગી આપી હતી. આવો જ એક વ્યક્તિ છે ઉત્તર પ્રદેશના રહેવાસી જતિન વાલ્મિકી. તેમના ભાઈને બ્રેન ટ્યુમર હતું અને તેના ઓપરેશન માટે શ્રીદેવીને મદદ કરી હતી. તેની આ દરિયાદિલીના કારણે શ્રીદેવીનો ફેન થઈ ગયો હતો.
જતીને મીડિયાને જણાવ્યું કે, શ્રીદેવીજીએ મારા ભાઈના બ્રેન ટ્યુમરના ઓપરેશન માટે મદદ કરી હતી. તે સમયે તેમણે એક લાખની મદદ કરી હતી અને હોસ્પિટલે પણ એક લાખ માફ કરાવ્યા હતા.
જતીને ભાવુક થતાં જણાવ્યું કે, શ્રીદેવીના કારણે આજે મારો ભાઈ જીવતો છે. હું તેમની માટે કંઈ કરી તો શકતો નથી પરંતુ તેમની અંતિમ યાત્રામાં તો સામેલ થઈ શકું છું.
જતીન દિવ્યાંગ છે અને બંને આંખોથી જોઈ શકતો નથી. તેમ છતાં શ્રીદેવીના અંતિમ દર્શન અને અંતિમ યાત્રામાં સામેલ થવા ઉત્તર પ્રદેશથી આવ્યો છે.