સેટ પર કેવું હતું શ્રીદેવીનું વર્તન, એક્ટ્રેસના મેકઅપ આર્ટિસ્ટે કર્યો ખુલાસો
સુભાષે શ્રીદેવવી સાથે ‘પુલી’ અને ‘મૉમ’માં કામ કર્યું છે. તેમને જણાવ્યું કે, પુલીના શૂટિંગ વખતે તેમને ખૂબ મેકઅપ લગાવવો પડતો હતો પણ તે નખરાં દેખાડતા નહોતા અને અમારો સાથ આપતી હતી.
સુભાષે શ્રીદેવીની હૉબી વિશે જણાવ્યું કે. ‘તેમને કલર અને શેડની ઘણી સારી સેન્સ હતી. તે કપડાંથી મેચિંગ શેડ્સનો યૂઝ કરવાનું જાણતી હતી. મેં તેમની પાસેથી ઘણું શીખ્યું હતું.’
સુભાષ ‘ઈંગ્લિશ-વિંગ્લિશ’થી તેમની સાથે કામ કરી રહ્યો છે. તે મેકઅપ આર્ટિસ્ટ, ડ્રેસના લોકો અને બધાને પરિવારની જેમ ટ્રીટ કરતા હતા. તે મને પૂછતા હતા કે, શું હું સમયસર જમ્યો. તેઓ મારા પરિવારના હાલ-ચાલ પણ પૂછતા રહેતા હતા.
સુભાષે કહ્યું કે, મને હજુ પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે, તેઓ હવે નથી રહ્યાં. હું મોહિત મારવાહના લગ્ન માટે તેમની સાથે દુબઈમાં હતો. તે ખૂબ જ સુંદર અને ખુશ લાગી રહ્યાં હતા. હું બે દિવસ પહેલા પાછો આવ્યો અને શનિવારે તેમનું મૃત્યુ થઈ ગયું.
નવી દિલ્હીઃ શ્રીદેવી દુબઈમાં મોહિત મારવાના લગ્નમાં ગઈ હતી. 20 ફેબ્રુઆરીએ લગ્ન બાદ તે ત્યાં જ રોકાઈ ગઈ હતી. 24 ફેબ્રુઆરીએ અહેવાલ મળ્યા કે તેનું નિધન થઈ ગયું છે. તેની મોતના સમાચાર સાંભળીને બધા હેરાન રહી ગયા. શ્રીદેવીના મેકઅપ આર્ટિસ્ટ સુભાષ શિંદે દુબઈમાં મોહિત મારવાના લગ્નમાં હાજર હતા. લગ્ન માટે તેણે જ શ્રીદેવીનો મેકઅપ કર્યો હતો. તેણે જણાવ્યું કે, શ્રીદેવી ખૂબ જ સકારાત્મક હતી અને સેટ પર હાજર બધા લોકોને તે પોતાનો પરિવાર સમજતી હતી.