દુબઈ જતા પહેલા બીમાર હતી શ્રીદેવી, બાળપણની ફ્રેન્ડે કર્યો ખુલાસો
પિંકી રેડ્ડીએ મિડ-ડેને જણાવ્યું, મેં એર બહેન ખોઈ છે. અમે ભાંગી ગયા છીએ. પિંકી રેડ્ડીએ શ્રીદેવીના મોતના કારણો પર લગાવવામાં આવતી અટકળો પર પણ નારાજગી વ્યક્ત કરી. તેણે કહ્યું કે, તે એ વાતથી ખૂબ જ નારાજ છે કે લોકો શ્રીદેવીના મોતને મજાક બનાવી રહ્યા છે.
દુબઈ જતા પહેલા શ્રીદેવીની તબીયત સારી ન હતી. એ વાત તેની ભાળપણની મિત્રએ જણાવી છે. મીડિયા અહેવાલ અનુસાર, શ્રીદેવીની બાળપણની મિત્ર પિન્કી રેન્ડ્ડીએ ખુલાસો કર્યો છે કે દુબઈ જતા પહેલા તે બીમાર હતા.
જે દિવસે શ્રીદેવી દુબઈ જવા માટે રવાના થઈ હતી તે દિવસે તેણે પિંકીને ફોન કર્યો હતો અને બન્ને વચ્ચે લાંબી વાતચીત થઈ. આ વાતચીતમાં શ્રીદેવીએ જણાવ્યું હતું કે તેને તાવ હતો. માટે તે એન્ટીબાયોટિક્સ પણ લઈ રહી હતી. ખૂબ જ થાક અનુભવી રહી હતી. પરંતુ સંબંધીના લગ્ન હોવાને કારણે તેને દુબઈ જવુ પડ્યુ.
નવી દિલ્હીઃ શ્રીદેવીના અચાનક નિધન પર બધા દુખી છે. તેનું પાર્થિવ શરીર દુબઈથી મુંબઈ આગી ગયો છે અને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. બધા તેને જોઈને વિનમ્ર શ્રદ્ધાંજલી આપવા માટે બેચેન છે. પરંતુ હવે એવા અહેવાલ મળી રહ્યા છે કે દુબઈ જતા પહેલા શ્રીદેવી ખૂબ જ બીમાર હતી.