'ધ કપિલ શર્મા શો'માં પાછા ફરવા અંગે સુનીલ ગ્રોવરે શું કરી સ્પષ્ટતા, જાણો
એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ એક યુનીટ મેમ્બરે જણાવ્યું કે કપિલ હાલ પોતાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. એટલે શોનું શૂટિંગની વાત જ નથી આવતી.
પણ આ સમાચારને સુનીલે રદિયો આપ્યો છે. અને કહ્યું છે કે આ એક જૂઠ્ઠાણું છે. અને હું હાલ મારા લાઈવ શો પર ફોકસ કરી રહ્યો છું.
મુંબઈ: એક્ટર-કોમેડિયન સુનીલ ગ્રોવર કે જેને ફેંસ ડો. મશૂર ગુલાટી અને રિંકુ ભાભીના પાત્રમાં ખૂબ પસંદ કરે છે, તેણે ગઈ કાલે ટ્વિટર પર પોતાના ફેંસ માટે ઈમોશનલ મેસેજ લખ્યો હતો અને લાગણી વ્યક્ત કરી હતી.
કપિલ અને સુનીલ વચ્ચે થયેલા ઝઘડા અને વિવાદો પછી ન્યૂઝ એજન્સીને શોના સૂત્રોએ જણાવ્યું હતું કે જે કલાકારોએ શૂટિંગ બોયકોટ કર્યુ હતું તે અલી અસગર, ચંદન અને સુનીલ શો છોડીને ગયા નથી અને શૂટિંગ કરી રહ્યા છે.
સુનીલે કપિલના શોમાં કામ કરવાની વાતને નકારતા કહ્યું છે કે હું મારા લાઈવ શો પર ફોકસ કી રહ્યો છું. અને હું બીજી કોઈ ચેનલ સાથે પણ કોઈ કોમેડી શોની વાત કરી રહ્યો નથી.