સુનીલ-કપિલના ફેંસ માટે Good News, જાણો શોના સૂત્રો કરી શું જાહેરાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Mar 2017 11:02 AM (IST)
1
શોના સૂત્રોએ ન્યૂઝ એજન્સીને અહેવાલ આપ્યો છે કે સુનીલ, ચંદન પ્રભાકર અને અલી અસગર જેમણે શો બોયકોટ કર્યાના અહેવાલો હતા તેઓ પણ આગલા એપિસોડની શૂટિંગમાં હાજર રહ્યા હતા. કપિલ અને સુનીલે અંતે તેમનો ઝઘડાનો ઉકેલ લાવી દીધો હોય તેમ લાગે છે.
2
મુંબઈ: કપિલ અને સુનીલના ફેંસ માટે સુપર ગુડ ન્યૂઝ છે. ડો. મશૂર ગુલાટી એટલે કે સુનીલ ગ્રોવર કપિળ શર્મા શો છોડીને નથી જઈ રહ્યો. સુનીલ કપિલના શોમાં કામ કરશે તે નક્કી છે.
3
જે પછી મુંબઈમાં શૂટ થયેલા બે એપિસોડમાં સુનીલ, ચંદન અને અલી આવ્યા નહોતા અને કપિલ રડ્યો હોવાના અહેવાલ હતા.
4
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાની ટૂરથી પાછા ફરતા શોના કાસ્ટ સાથે કપિલે ગેરવર્તન કર્યુ હતું. તેણે સુનીલને માર્યો હતો અને ગાળો આપી હોવાનું એરલાઈન્સના સ્ટાફે જણાવ્યું હતું. જે પછી સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરીને વિવાદ વધાર્યો હતો.