'ગરમીમાં મેંગો ખાઉંશું, બધા સાથે આવશું', સુનિલ ગ્રોવરે આમ કરી અમદાવાદના શોની જાહેરાત, જાણો ક્યારે છે શો ?
કપિલ શર્મા સાથે લડાઇ થયા બાદ આ પ્રથમ અવસર હશે જ્યારે સુનીલ ગ્રોવર પોતાના જૂના સાથીઓ સાથે કોઇ શો પર એક સાથે જોવા મળશે. આ પોસ્ટરમાં સુનીલ ડો. ગુલાટી અને રિકૂં ભાભીના અંદાજમાં જોવા મળી રહ્યો છે.
મુંબઇઃ કપિલ શર્મા સાથે વિવાદ થયા બાદ ‘ધ કપિલ શર્મા’માંથી હટ્યા બાદ પ્રખ્યાત કોમેડિયન સુનીલ ગ્રોવર ફરીવાર ટીવી પર પાછો ફરી રહ્યો છે. સુનીલ ગ્રોવર આગામી સાત મેના રોજ રિયાલિટી શો ‘સબસે બડા કલાકાર’માં જોવા મળશે. સુનીલની સાથે કપિલ શર્મા શોના સાથી કલાકારો અલી અસગર અને ચંદન પ્રભાકર પણ જોવા મળશે.
સુનીલ ગ્રોવરે આ લાઇવ શોનું પોસ્ટર જાહેર કર્યું છે અને તેની નીચે લખ્યું છે કે 'ગરમીમાં મેંગો ખાઉંશું, બધા સાથે આવુંશું' આ પોસ્ટર્સમાં ધ કપિલ શર્મા શોમાં તેના સાથી રહેલા અલી અસગર, સુંગધા મિશ્રા અને ચંદન પ્રભાકર પણ જોવા મળી રહ્યા છે. આ તમામ કલાકારોએ કપિલ શર્મા સાથે ઝઘડો થયા બાદ શોમાં આવવાનું બંધ કરી દીધું છે.
અહીં સુનીલ ગ્રોવર ડો.ગુલાટીની ભૂમિકામાં જોવા મળી શકે છે. સબસે બડા કલાકાર રિયાલિટી શોને બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન, અર્શદ વારસી અને બોમન ઇરાની જજ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 16 માર્ચના રોજ કપિલ શર્મા સાથે ફ્લાઇટમાં લડાઇ થયા બાદથી સુનીલ ગ્રોવરે ધ કપિલ શર્મા શો છોડી ચૂક્યો છે.
સુનીલ ગ્રોવર લાઇવ શો દરમિયાન પોતાના ફેન્સનું મનોરંજન કરવાની પણ તૈયારી કરી રહ્યો છે. સુનીલ ગ્રોવરે તાજેતરમાં જ પોતાના ફેસબુક એકાઉન્ટ પર જાહેરાત કરી છે કે તે આગામી 27,મેના રોજ અમદાવાદ ખાતે લાઇવ શો કરશે.