સુશાંત સિંહ રાજપૂત કેસ: CBIએ રિયા ચક્રવર્તી સહિત આ લોકો વિરુદ્ધ નોંધી FIR
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Aug 2020 09:33 PM (IST)
સુશાંત સિંહ રાજપૂત મોત મામલે સીબીઆઈએ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સહિત 6 અન્ય લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે
નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત મોત મામલે સીબીઆઈએ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સહિત 6 અન્ય લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.એફઆઈઆરમાં રિયા સિવાય ઈન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, શમૂએલ મિરાંડા, શ્રુતિ મોદી અને અન્યના નામ છે. મુંબઈના બાંદ્રામાં પોતાના અપાર્ટમેન્ટમાં સુશાંત રાજપૂતે 14 જૂને ફાંસો ખાઈને આત્યહત્યા કરી લીધી હતી. તેના બાદ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે, તપાસથી અસંતુષ્ટ પટના નિવાસી અભિનેતાના પિતાએ પટનામાં એફઆઈઆર નોંધાવી છે. પટના પોલીસે જે ધારા અંતર્ગત એફઆઈઆર નોંધી છે, તેમાં કથિત રીતે આપરાધિક ષડયંત્ર, છેતરપિંડી અને આત્મહત્યા માટે ઉકસાવવા સંબંધિત હતી. અધિકારીએ જણાવ્યું કે, પોલીસ અધીક્ષક નૂપુર પ્રસાદના નેતૃત્વમાં એસઆઈટી તેની તપાસ કરશે અને તેની દેખરેખ ડીઆઈજી ગગનદીપ ગંભીર અને સંયુક્ત નિદેશક મનોજ શશિધર કરશે. બન્ને ગુજરાત કેડરના વરિષ્ઠ આઈપીએસ અધિકારી છે.