બોલિવૂડ:તાપસી પન્નુએ ખુલાસો કર્યો કે, તેમણે બધું જ ફાઇનલ કર્યાં બાદ ફિલ્મ મેકર્સે રાતોરાત ફિલ્મમાંથી બહારનો રસ્તો બતાવી દીધો હતો.બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નૂએ હાલમાં જ એક ચોકાવનારો ખુલાસો કર્યો છે. તેમને ફિલ્મથી રાતોરાત દૂર કરી દેવાઇ હતી. તેમાં પણ મહત્વની વાત એ છે કે, તાપસીને આ વાતની જાણ પ્રત્યક્ષ ન હતી કરાઇ. તાપસીને મીડિયા દ્વારા આ સમાચાર મળ્યાં હતા. તેમને આ વાતની ખબર શુદ્ધા ન હતી કે તે ફિલ્મથી આઉટ થઇ ગઇ છે. જો કે તાપસીએ ફિલ્મ અને મેર્કરના નામનો ખુલાસો ન હતો કર્યો.


તાજેતરમાં જ તાપસીએ આરજે સિદ્ધાર્થ કનનને આપેલા એક ઇન્ટરવ્યુમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તાપસીએ કહ્યું કે, “ફિલ્મ મેકરે આ માટે માફી માંગી હતી પરંતુ તે કારણ જણાવવા માટે ખચકાટ અનુભવતા હતા”


ઇન્ટરવ્યુ દરમિયાન તાપસીએ ફિલ્મથી અચાનક દૂર કરવા મુદ્દે કહ્યું કે, “મારી સાથે આ થયું છે, બસ તૈયાર થઇને ન હતી ગઇ. મેં માત્ર ડેડસ આપી હતી અને ત્યારબાદ મને ફિલ્મથી દૂર કરી દેવાઇ. મને તો મીડિયાના માધ્યમથી જાણ થઇ કે મને ફિલ્મમાંથી બહારનો રસ્તો બતાવી દેવાયો છે”



તાપસીને પૂછવામાં આવ્યું કે, શું ઘટના બાદ મેકરે આપની મીડિયામાં કેમેન્ટ જોઇને કોઇ પ્રતિક્રિયા આપી હતી. તો આ મુદ્દે તાપસીએ કહ્યું કે, “ હાં, જરૂર એમને મને ફોન કર્યો હતો અને મને રૂબરૂ મળ્યાં પણ હતાં તેમણે માફી પણ માંગી હતી પરંતુ તેમ છતાં તેમણે અને ફિલ્મમાથી કાઢી મૂકવાનું સાચુ કારણ ન હતું જણાવ્યું”


તાપસીએ જણાવ્યું હતું કે, ફિલ્મ ‘પતિ-પત્ની ઓર વો’ માં મારી સાથે આવી જ ઘટના થઇ હતી. આ ફિલ્મના શૂટિંગ માટે મારી ડેટસ પણ બુક થઇ ગઇ હતી પરંતુ એન્ડ ટાઇમે મને ફિલ્મથી બહારનો રસ્તો બતાવી દેવાયો અને આ ફિલ્મ માટે કાર્તિક આર્યન અને અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકર જોવા મળી હતી.