'તારક મહેતા'માં ડૉ. હાથી માટે હજુ નિર્મલ સોની ફાઈનલ નથી, જાણે કેટલા એક્ટર્સ સાથે ડૉ. હાથીના સીન કરાયા છે શૂટ?
ખાસ વાત એ છે કે, પહેલા પણ નિર્મલ સોનીએ શૉમાં ડૉ. હાથીનો રૉલ નિભાવ્યો હતો, બાદમાં 2009માં કવિ કુમાર આઝાદને સીરિયલમાં રિપ્લેસ કરવામાં આવ્યા હતા. તે સમયે વાતો હતી કે નિર્મલ સોની અને શૉના મેકર્સ વચ્ચે વિવાદ થયો હતો.
છેલ્લા બે મહિનાથી ટીવી શૉ તારક મેહતામાં ડૉક્ટર હાથીના રૉલને લઇને અસમંજસ ચાલી રહી હતી. તેમની જગ્યાએ અનેક એક્ટરને સાથે સીન શૂટ કરાવવામાં આવ્યા અંતે નિર્મલ સોનીને સિલેક્ટ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ્સનું માનીએ તો ગણેશ ચતુર્થીના દિવસે ગ્રાન્ડ એપેસૉડમાં નિર્મલ સોનીને હાથીના રૉલમાં બતાવવામાં આવશે, એટલે કે ત્યારે સીરિયલમાં ડૉ હાથી ફરીથી એન્ટ્રી કરશે. કહેવાઇ રહ્યું છે કે, સીરિયલ 13 સપ્ટેમ્બરે ટેલિકાસ્ટ થશે.
નવી દિલ્હીઃ ટીવીની દુનિયાની ફેમસ સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ડૉ. હાથીના નિધન બાદ તેમના રૉલને લઇને અનેક તર્ક વિતર્કો સામે આવી હતી. તેમના નિધન બાદ હાથીની ભૂમિકા માટે કયા એક્ટરને પસંદ કરવો, તે પ્રશ્નનો હવે અંત આવી ગયો છે. ડૉક્ટર હાથીની ભૂમિકા હવે નિર્મલ સોની નિભાવશે.