મુંબઇઃ બૉલીવુડના દિગ્ગજ ફિલ્મ મેકર સંજય લીલા ભંસાળી અને એક્ટર રણવીર કપૂર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. બન્નેના કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યા છે. આલિયા ભટ્ટ બન્નેની સાથે કામ કરી રહી છે, તે સંજય લીલા ભંસાળી સાથે ગંગૂબાઇ કાઠિયાવાડીમાં કામ કરી રહી છે. તાજેતરમાં જ ફિલ્મ મેકરના જન્મદિવસ પર ફિલ્મનુ ટ્રેલર પણ રિલીઝ થયુ છે. 


વળી, આલિયાએ રણવીર કપૂરની સાથે બ્રહ્માસ્ત્રમાં કામ કરી હતી. આજકાલ બન્ને સેલેબ્સનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા બાદ આલિયાએ પણ સાવધાની રાખી છે, અને ખુદને ક્વૉરન્ટાઇન કરી લીધી છે. તે ઘરમાં જ ક્વૉરન્ટાઇન રહેશે. ઉલ્લેખનીય છે કે બન્નેનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા બાદ આલિયાએ પોતાનો કોરોના ટેસ્ટ પણ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 


આલિયાએ શેર કરી મૉટિવેશન પૉસ્ટ....
આલિયાએ ખુદ ક્વૉરન્ટાઇન થઇ ગયા બાદ બૉયફ્રેન્ડ રણબીર કપૂર માટે એક મૉટિવેશનલ કૉટ શેર કર્યો છે. તેને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીમાં લખ્યું- આપણે જ વસ્તુમાંથી પસાર થઇએ છીએ, તેનાથી વધીએ છીએ.. આની સાથે આલિયાએ હેશટેગની સાથે ધ ગુડ વર્ડ પણ લખ્યું છે. 


ઉલ્લેખનીય છે કે,  બૉલીવુડ એક્ટર રણબીર કપૂરનનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણ ખુદ તેની માતા નીતૂ સિંહે જાહેર કરી હતી. રિપોર્ટ પ્રમાણે, રણબીર હાલ ક્વોરન્ટાઈન છે અને આરામ કરી રહ્યો છે. રણબીરને કોરોના થયો હોવાની વાતને લઈ તેના કાકા રણધીર કપૂરે મામલે કહ્યું કે, હાં રણબીર કપૂર બીમાર છે અને તેને કોરોના થયો છે.


આ પહેલા રણબીરની માતા નીતૂ કપૂર પણ ફિલ્મ જુગ જુગ જીયોના શૂટિંગ દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થઈ હતી. આ દરમિયાન તેનો સાથી એક્ટર વરૂણ ધવન પણ કોવિડ-19 પોઝિટિવ મળી આવ્યો હતો.  આ પહેલા અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા બચ્ચન, અર્જુન કપૂર, મલાઈકા અરોરા વગેરે પણ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે.