Palak Sindhwani Accusations: પોતાની કૉમેડી કે ટીઆરપી નહીં પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરી એકવાર હેડલાઇન્સમાં છે. આ વખતે ચર્ચામાં પલક સિંધવાની છે જે શૉમાં સોનુનું પાત્ર ભજવી રહી છે. પલકએ શોના મેકર્સ પર તેને માનસિક રીતે હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. પલકના આરોપોને પલક મિસ્ત્રી બેનીવાલે સમર્થન આપ્યું છે, જેણે એક સમયે આ શોમાં મિસેજ સોઢીની ભૂમિકા ભજવી હતી. તમને જણાવી દઈએ કે જેનિફરે શોમાં મેકર્સ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો, જેના પછી બધા ચોંકી ગયા હતા.


શૉના મેકર્સ પર આ એક્ટર્સે લગાવ્યો આરોપ 
પલક પહેલા જેનિફર અને તેના પહેલા ઘણા કલાકારોએ શો છોડ્યા બાદ મેકર્સ પર આરોપ લગાવ્યા છે. કેટલાકે હેરાનગતિ, કેટલાકે પરેશાન, કામ કર્યા બાદ વેતન ના મળવા વગેરે આક્ષેપો કર્યા છે. જેનિફર પછી, પ્રિયા આહુજા રાજદા અને મોનિકા ભદોરિયા જેવા કલાકારોએ પણ નિર્માતાઓ પર આવા જ હેરાન કરનારા આક્ષેપો કર્યા હતા. લાંબા સમય સુધી શોમાં તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાએ મેકર્સ પર તેમને પૈસા ના આપવાનો આરોપ લગાવ્યો અને મામલો કોર્ટમાં પહોંચ્યો.


પલક સિંધવાણીને લઇને જેનિફરે શું કહ્યું 
પલક હાલમાં અસિત કુમાર મોદીના શોમાં સોનુનું પાત્ર ભજવી રહી હતી. શો છોડ્યા બાદ પલકને લીગલ નૉટિસ મોકલવામાં આવી હતી, ત્યારબાદ એક્ટ્રેસે આરોપ લગાવ્યો હતો કે તેને હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પલકનો આરોપ છે કે મેકર્સ દ્વારા તેને ધમકાવવામાં આવી રહી છે અને હેરાન કરવામાં આવી રહી છે.






આ પછી પલકના સમર્થનમાં બોલતા જેનિફરે કહ્યું કે પલક સાથે જે થઈ રહ્યું છે તે શોના દરેક સભ્ય સાથે થાય છે. ટાઈમ્સ નાઉ સાથે વાત કરતી વખતે જેનિફરે કહ્યું કે જે પણ શો છોડવા માંગે છે તેની સાથે મેકર્સ એવું જ કરે છે. નિર્માતાઓએ ક્યારેય કોઈને સરળતાથી શો છોડવા નથી દીધો. તે જગ્યા કલાકારો માટે જેલ સમાન છે. જેનિફરે કહ્યું કે પલક ખૂબ જ સ્વીટ છે અને મને એ વાતની ચિંતા છે કે મેકર્સે તેને પેમેન્ટ ન કર્યું હોય.


જેનિફરે કહ્યું કે શો છોડ્યા બાદ રાજ અનડકટ, શૈલેષ લોઢા, ગુરુચરણ સિંહ બધાને સમાન સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જેનિફરને આશા છે કે પલક પરિસ્થિતિને સારી રીતે સંભાળશે. આવી બાબતોથી શો અને પ્રોડક્શન પર ખરાબ અસર પડશે.


આ પણ વાંચો


Ishita Raj: 'પ્યાર કા પંચનામા' એક્ટ્રેસ ઈશિતા રાજનો બોલ્ડ સાડી લૂક વાયરલ