Taarak Mehta Ka Ooltah Chashmah: ટીવીનો સુપરહિટ કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ દિવસોમાં ઘણો ચર્ચામાં છે. આ શોના મોટાભાગના ફેવરિટ કલાકારોએ અચાનક શોને અલવિદા કહી દીધું છે. જ્યારથી એક્ટર શૈલેષ લોઢાએ તારક મહેતા શોનું શૂટિંગ બંધ કર્યું છે, ત્યારથી શોના મેકર્સ તેમની વાપસીની રાહ જોઈ રહ્યા છે. જો કે, શૈલેષ લોઢા શોમાં પરત નથી આવ્યા. તેથી શો નિર્માતાઓએ નવા તારક મહેતાને શોધવાનું શરૂ કર્યું છે. હવે તારક મહેતાના પાત્ર માટે એક નામ સામે આવ્યું છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર અભિનેતા જૈનરાજ રાજપુરોહિતના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.


સૂત્રોનું કહેવું છે કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા તારક મહેતાના રોલ માટે જૈનીરાજ રાજપુરોહિતને (Jaineeraj Rajpurohit) લેવા માટે વિચારણા કરી રહ્યા છે. જૈનીરાજ રાજપુરોહિત અગાઉ બાલિકા વધૂ, લગી તુઝસે લગન અને મિલી જબ હમ તુમ જેવા શોનો ભાગ રહી ચૂક્યો છે. તેણે ઓહ માય ગોડ, આઉટસોર્સ અને સલામ વેંકી જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જૈનીરાજ ટીવી અને ફિલ્મોના મોટા સ્ટાર છે, તેમણે તારક મહેતાના રોલમાં જોવો એ દર્શકો માટે સારા સમાચારથી ઓછું નથી. તારક મહેતા.... શોના ચાહકો લાંબા સમયથી શોની કાસ્ટ પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે.


દરમિયાન, તારક મહેતાના લોકપ્રિય પાત્રમાં એક નવો ચહેરો જોવો રસપ્રદ રહેશે. જો કે હજુ સુધી જૈનીરાજના નામની પુષ્ટિ થઈ નથી. ઈ-ટાઈમ્સ ટીવીના એક અહેવાલ મુજબ, જેઠાલાલના મિત્રની ભૂમિકા ભજવતા શૈલેષ લોઢાએ શો છોડવાનો નિર્ણય લીધો હતો. અસિત કુમાર મોદીની આ સિરિયલને છોડનાર શૈલેષ લોઢા પહેલા અભિનેતા નથી. અગાઉ રાજ અનડકટ, દિશા વાકાણી, નેહા મહેતા અને ગુરચરણ સિંહે પણ અચાનક તારક મહેતા જેવા સુપરહિટ શોને છોડી દીધો હતો.