Taarak Mehta Ka Ooltah Chashmah: જાણીતા કોમેડી શો  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણીના ચાહકો છેલ્લા 5 વર્ષથી રાહ જોઈ રહ્યા છે. જેઠાલાલ સાથેની તેમની કેમેસ્ટ્રી અને કોમિક ટાઈમિંગ ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. બીજી વખત માતા બન્યા પછી ચાહકો અંદાજ લગાવી રહ્યા હતા કે દિશા કદાચ શોમાં પાછી ફરી શકે છે, પરંતુ હવે તે શક્ય નથી.


દિશા વાકાણીની જગ્યાએ નવી દયાબેન જોવા મળશે


હા, દિશા વાકાણી હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનના રોલમાં જોવા નહીં મળે. જો કે લાંબા સમય બાદ શોમાં દયાબેનના રોલમાં અન્ય કોઈ જોવા મળશે. શોના નિર્માતા અસિત મોદીએ 'ઈ-ટાઇમ્સ' સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો છે કે દિશા વાકાણી આ શોમાં દયાબેન તરીકે જોવા મળશે નહીં. દયાબેનના પાત્ર માટે ઓડિશન ચાલી રહ્યા છે, ટૂંક સમયમાં નવી અભિનેત્રી દયાબેનનું પાત્ર ભજવશે.


દિશા વાકાણી પરત ફરે તેવી અપેક્ષા હતી


આસિત મોદીએ ઈન્ટરવ્યુમાં એમ પણ જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષથી દિશાની આ શોમાં દયાબેન તરીકેની રાહ જોવાઇ રહી હતી. તેણે પ્રેગ્નેન્સી દરમિયાન મેટરનિટી લીવ લીધી હતી, ત્યારબાદ તે શોમાંથી ગાયબ છે. નિર્માતાએ કહ્યું, “અમને દિશાને બદલવામાં આટલો સમય લાગ્યો કારણ કે દિશાએ લગ્ન પછી થોડો સમય કામ કર્યું. બાદમાં તેણી મેટરનીટી લીવ લીધી હતી. બાદમાં બાળકની સંભાળ માટે રજા ચાલુ રાખી હતી. તેણે ક્યારેય નોકરી છોડી નથી. અમને આશા હતી કે દિશા પાછી આવશે, પરંતુ પછી કોરોના મહામારી આવી. અમે સાવધાની સાથે શૂટિંગ કરી રહ્યા હતા, પરંતુ તે સમયે દિશા કોરોના મહામારીમાં શૂટિંગ કરતાં ડરી ગઈ હતી.


અસિત મોદીએ વધુમાં કહ્યું કે, કોરોના બાદ તેમણે દિશા વાકાણીના શોમાં પાછા ફરવાની રાહ જોઈ હતી, પરંતુ હવે તે આવી શકશે નહીં. તેમણે કહ્યું, “અમે તેની રાહ જોવાનું નક્કી કર્યું હતું કારણ કે તે શો સાથે લાંબા સમયથી સંકળાયેલી છે. તાજેતરમાં તેણીએ બીજા સંતાનને જન્મ આપ્યો છે જેથી તે હવે શોમાં પાછી આવી શકશે નહી અમે નવી દયાબેનની શોધમાં છીએ.