જેવો શ્રીદેવીએ પ્લાન કર્યો હતો આજે તેવી જ રીતે મનાવાશે જ્હાનવીનો બર્થડે
મુંબઇઃ શ્રીદેવીની મોટી પુત્રી જ્હાનવી કપૂર 6 માર્ચે 21 વર્ષથી થઇ ગઇ છે, દર વર્ષે તે પોતાના બર્થડે પોતાના પરિવાર સાથે બહુજ ધામધૂમથી મનાવતી હતી પણ આ વર્ષે પોતાની મમ્મીના નિધાનથી દુઃખી જ્હાનવીને કદાય પોતાનો બર્થડે સેલિબ્રેટ કરવાનું મન ના હોય, પણ પરિવારે તેના માટે એક ખાસ પ્લાન કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્હાનવીની ડેબ્યૂ ફિલ્મ 'ધડક' આ વર્ષે જુલાઇમાં રિલીઝ થશે, શ્રીદેવી આ ફિલ્મ માટે ખુબજ એક્સાઇટેડ હતી પણ હવે તે જોવા માટે જીવતી નથી.
અંશુલાએ જવાબમાં લખ્યું, 'તમને વિનંતી છે કે તમે આ રીતની અપમાનજનક ભાષા ખાસ કરીને મારી બહેનો માટે ના વાપરો, હું તમારી નિંદા નથી કરતી અને મે મારી કૉમેન્ટની હટાવી દીધી છે. હું તમારા મારા અને અર્જૂનને લઇને ઝનૂન અને પ્રેમ માટે આભારી છું. માત્ર એક નાનો સુધારો- 'હું ભારતની બહાર ક્યારેય પણ કામ ન હતી કરી રહી, કૃપા ખુશી ફેલાવો અને સારો માહોલ બનાવો, પ્રેમ માટે આભાર 'Pictures: Instagramjanhvikapoor
બીજા સુત્રોના જણાવ્યા અનુસાર, બોની કપૂર અને તેનો પરિવાર ઇચ્છે છે કે જ્હાનવી પોતાના જન્મદિવસ પર ખુશ રહે, જ્હાનવીની સાવકી બહેન પણ આ સેલિબ્રેશનનો ભાગ બનશે.
નોંધનીય છે કે, રવિવારે અર્જૂન કપૂરે એક ફેનને તેની સાવકી બહેનો ( જ્હાનવી અને ખુશી)ની નિંદા કરતા કૉમેન્ટ કરી હતી, અર્જૂન કપૂરની સગી બહેન અંશુલાની નજર આ કૉમેન્ટ પર ગઇ અને તે આ રીતની ટ્રૉલિંગથી ખુબજ દુઃખી થઇ, ત્યારબાદ અંશુલા ચુપ ના રહી અને તેને ઇન્સ્ટાગ્રામ પર ટ્રૉલરને જવાબ પણ આપ્યો અને કૉમેન્ટ પણ હટાવી દીધી હતી.
સુત્રો અનુસાર, શ્રીદેવીએ જ્હાનવીના બર્થડે માટે કેટલાક પ્લાન્સ બનાવ્યા હતા, તેને બોની કપૂર સાથે આ વિશે વાત પણ કરી હતી. જોકે કોઇને ખબર નહતી કે આવું બનશે. શ્રીદેવીના ના હોવાના છતાં બોની, જ્હાનવીનો બર્થડે સારી રીતે સેલિબ્રેટ કરવા માંગે છે.
સુત્રો અનુસાર, કપૂર પરિવાર જ્હાનવીના સ્પેશ્યલ ડેને વધુ સ્પેશ્યલ બનાવવા માગે છે. આખો પરિવાર આ દિવસે ડિનર પર જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -