PHOTOS: લગ્નની અટકળો વચ્ચે અલગ-અલગ એરપોર્ટથી વિદેશ જવા નીકળ્યા અનુષ્કા-વિરાટ
બન્નેના લગ્ન પ્રાઈવેટ અફેર છે. કહેવાય છે કે, ટીમ ઇન્ડિયામાંથી કોઈને પણ લગ્નમાં બોલાવવામાં આવ્યા નથી. જોકે 21 ડિસેમ્બરે ભારતમાં રિસેપ્શન પાર્ટી રાખવાની વાત ચાલી રહી છે.
વિરાટના કોચ, રાજકુમાર શર્મા જે દિલ્હીના અન્ટર-23 ટીમના કોચ છે, તેણે પણ રજા મટે અરજી કરી છે. તેમણે લગ્નનું કારણ આપીને રજાની માગ કરી છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે કોના લગ્ન છે તો તેમણે કહ્યું કે ભત્રીજાના.
સૂત્રો અનુસાર વિરાટના પરિવાર અને નજીકના મિત્રોએ પહેલેથી જ મિલાન, ઇટલી માટે ટિકિટ બુક કરાવી લીધી છે.
અનુષ્કાના પ્રવક્તાએ લગ્નની વાતને ફગાવી દીધી છે, પરંતુ અટકળો તો એ જ કહે છે કે બન્નેના લગ્નનો પ્રોગ્રામ 9 ડિસેમ્બરથી શરૂ થશે.
મુંબઈ એરપોર્ટ પર મીડિયાએ અનુષ્કાના પરિવાર સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ બધાએ મૌન સેવ્યું હતું.
મીડિયામાં ચાલી રહેલ કેટલાક અહેવાલ અનુસાર અનુષ્કાનો પરિવાર સ્વિટ્ઝરલેન્ડ ગયો છે. વિરાટે દિલ્હીથી સ્વિટ્ઝરલેન્ડ માટે ફ્લાઈટ પકડી. તેણે પોતોનો ચહેરો અડધો છુપાવ્યો હતો, જેથી મોટાભાગના લોટો તેને એરપોર્ટ પર ઓળખી ન શક્યા. વિરાટ દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અંદાજે 11.30 કલાકે પહોંચ્યા અને તેની ફ્લાઈટ 2.45ની હતી.
બુધવારે મીડિયા પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના અહેવાલ પ્રકાશિત થયા હતા. અહેવાલ અનુસાર બન્ને 12 ડિસેમ્બરે ઇટલીમાં લગ્ન કરવાના છે. જોકે તેમના તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. ગુરુવારે અનુષ્કા અને તેનો પરિવાર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો.