Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
Samsungએ ગેલેક્સી નોટ 7નું ઉત્પાદન સ્થગિત કર્યું, જાણો શું છે કારણ
અધિકારીએ જણાવ્યું કે, કામચલાઉ ધોરણે આ સ્માર્ટફોનનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય દક્ષિણ કોરિયા, અમેરિકા અને ચીનના ઉપભોક્તા સુરક્ષા નિયામકોની સાથે સહયોગથી લેવામાં આવ્યો છે. સેમસંગે 2 સપ્ટેમ્બરે ગેલેક્સી નોટ 7નું વેચાણ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો અને વેચવામાં આવેલ ફોન બજારમાંથી પરત ખેંચવાની જાહેરાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેમસંગ દ્વારા રિપ્લેસ કરવામાં આવેલ ગેલેક્સી નોટ 7માં પણ આગ લાગવાની કેટલીક ઘટના સામે આવી છે. 5 ઓક્ટોબરે સાઉથવેસ્ટ એરલાઈન્સી લુઇસવિલેથી બાલ્ટીમોર જઈ રહેલ ફ્લાઈટમાં બોર્ડિંગ દરમિયાન ગેલેક્સી નોટ 7 સ્માર્ટફોનમાંથી ધુમાડો નીકળતો દેખાયો હતો. બ્રાયન ગ્રીન નામના પ્રવાસીએ 21 સપ્ટેમ્બરે નવો નોટ 7 ફોન ખરીદ્યો હતો. તેમણે ફોન ઓફ કરી દીધો હતો પરંતુ ત્યાર બાદ પોનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો.
સેમસંગે 19 ઓગસ્ટ 2016ના રોજ નોટ 7 ફોન વૈશ્વિક સ્તરે લોન્ચ કર્યો હતો. બાદમાં ચાર્જિંગ દરમિયાન બેટરીમાં આગ લાગવા જેવી ઘટનાઓ બાદ વિશ્વભરમાંથી તમામ નોટ 7 ડિવાઈસ રિકોલ કરવા પડ્યા હતા. તેની જગ્યાએ કંપનીએ ગ્રાહકોને નવા ફોન આપવાનો નિર્ણય કર્યો હતો.
નવી દિલ્હીઃ સ્માર્ટફોન બનાવતી વિશ્વની જાણીતી કંપની Samsungએ પોતાનો ગેલેક્સી નોટ 7 સ્માર્ટફોનનું ઉત્પાદન બંધ કર્યું છે. એક અહેવાલમાં આવાતનો ખુલાસો થયો છે. આ સ્માર્ટફોનની બેટરીમાં બ્લાસ્ટ થવાના સમાચાર બાંદ કંપનીએ અંદાજે એક મહિનાપહેલા જ આ ફોન બજારમાંથી પરત ખેંચી લીધા હતા.
દક્ષિણ કોરિયાના મીડિયાએ સોમવારે પોતાના અહેવાલમાં આ દાવો કર્યો છે. યોન્હાપ ન્યૂઝ એજન્સીના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, સેમસંગે ચીન અને યૂએસ ઓથોરિટીઝના કો-ઓપરેશનમાં આ પ્રોક્શન અટકાવી દીધું છે. બે અમેરિકન કેરિયરે ગેલેક્સી 7 સ્માર્ટફોન્સના વેચાણ અને એક્સચેન્જ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ અહેવાલ પર કંપનીએ હજુ સુધી કોઈ ખુલાસો આપ્યો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -