‘BJPના 175 ધારાસભ્યોએ અમિત શાહનો હુરિયો બોલાવી યોગીને CM બનાવવા ફરજ પાડી’, કોણે કર્યો આ ચોકાવનારો દાવો? જાણો
યોગી આદિત્યનાથની પસંદગી પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું દબાણ કામ કરી ગયું હોવાની ચર્ચા છે. સંઘના વડા મોહન ભાગવતે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને યોગીની પસંદગી કરાવી હોવાના અહેવાલ આવ્યા છે. આ અહેવાલો વચ્ચે વાઘેલાએ નવી જ વાત કરતાં આખી વાતને નવો વળાંક આવી ગયો છે.
ભાજપે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી જીતી એ પછી મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે રાજનાથસિંહ, મનોજ સિંહા, દિનેશ શર્મા. કૈલાસ પ્રસાદ મૌર્ય વગેરેનાં નામ વહેતાં થયાં હતાં પણ યોગી આદિત્યનાથ ક્યાંય ચિત્રમાં નહોતા. છેલ્લ ઘડીએ આદિત્યનાથનું નામ આવતાં સૌ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.
વાઘેલાનો દાવો છે કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ તો યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવા નહોતા માગતા. જો કે ઉત્તર પ્રદેશના 175 ધારાસભ્યોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી થશે તેવાં સૂત્રો પોકારતાં છેવટે યોગીને મુખ્યમંત્રી બનાવવા પડ્યા હતા.
ગાંધીનગરઃ ઉત્તર પ્રદેશમાં ભાજપે કટ્ટરવાદી હિન્દુ નેતા યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવ્યા તેના કારણે આશ્ચર્ય સર્જાયું છે ત્યારે ગુજરાત વિધાનસભામા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ચોકાવનારો દાવો કર્યો છે. વાઘેલાનો દાવો છે કે ભાજપે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવાની ફરજ પડી છે.