રાજ્યમાં ભ્રષ્ટાચારની બોલબાલાઃ પટાવાળા પાસેથી 1.18 કરોડ. ક્લાસ ટુ ઓફિસર પાસેથી 11.56 કરોડની સંપત્તિ મળી
એસીબીએ ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગના ક્લાસ 2 અધિકારી ભરતગીરી બાબુગીરી ગોસ્વામી પાસેથી પણ રૂપિયા 11.56 કરોડની સંપત્તિ ઝડપી છે. આ સંપત્તિ તેમનીઆવક કરતાં 2489.89 ટકા વધુ છે. એસીબીએ આ ઉપરાંત પ્રિન્સીપાલથી માંડી ક્લાસ 2 ઓફિસર્સ પાસેથી પણ જંગી પ્રમાણમાં અપ્રમાણસરની સંપત્તિ ઝડપી છે.
હસમુખ રાવલે કુલ રૂપિયા 1,18,09047 રૂપિયાની જંગી મિલકત વસાવી હતી. રાવલે 200.33 ટકાની અપ્રમાણસરની સ્થાવર અને જંગમ મિલકતો વસાવી હોવાનું એસીબીના ધ્યાને આવ્યું હતું. પોલીસે આ સંદર્ભે ભ્રષ્ટાચાર અધિનિયમની 13(1) કલમ તથા 13(2) મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ધોરાજી ખાતેની મામલતદાર કચેરીના નાયબ મામલતદાર એવા મહેસૂલ વિભાગના કર્મચારી અનિલકુમાર મગનલાલ માકડિયા પાસે પણ રૂ. 40.66 લાખની મિલકત મળી છે કે જે આવક કરતાં 97.90 ટકા વધુ છે.
સાબરકાંઠાના હિંમતનગર ખાતે મહેસુલ વિભાગના ગુજરાત જમીન વિકાસ નિગમમાં વર્ગ ત્રણના કર્મચારી પ્રકાશચંદ્ર કાળીદાસ પટેલ (ફિલ્ડ આસીસસ્ટન) પાસે પણ રૂ. 33.09 લાખ ની કિંમતની અપ્રમાણસરની મિલકત મળી છે જે આવક કરતાં 157.35 ટકા વધુ છે.
ગાંધીનગર ખાતે ગુજરાત જળસંપત્તિ વિકાસ નીગમમાં 1 એપ્રિલ 2004થી 31 માર્ચ 2016 સુધી પટાવાળા તરીકે હસમુખ રતિલાલ રાવલ ફરજ બજાવતો હતો. તેણે આ દરમ્યાન પોતાના હોદ્દાનો દૂરોપયોગ કરી ભ્રષ્ટાચાર કરીને પોતાની કાયદેસરની આવકના સ્ત્રોત કરતાં વધુ પ્રમાણમાં મિલકત વસાવી લીધી હતી.
ગાંધીનગરઃ રાજ્યના એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)એ ભ્રષ્ટાચારીઓને ઝડપવા માટે પાડેલા રાજ્યવ્યાપી દરોડામાં ગાંધીનગરના જળસંપત્તિ વિકાસ નિગમ લિમિટેડમાં ચોથા વર્ગના કર્મચારી તરીકે અગાઉ કામ કરતાં પટાવાળા પાસે રૂપિયા 1.18 કરોડની અપ્રમાણસરની મિલકત મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.