શા માટે અલ્પેશ ઠાકોરે 23મી ફેબ્રુઆરીએ ટાટા નેનો પ્લાન્ટને તાળું મારી દેવાની આપી છે ચિમકી? જાણો
તેમણે જણાવ્યું હતું કે, સરકારી મદદ લઈને રાજ્યમાં જે ઉદ્યોગો ચાલી રહ્યા છે તેમણે સ્થાનિક યુવાનોને 85 ટકા રોજગાર આપવાના કાયદાનું ચુસ્ત પણે પાલન કરવું પડશે. જો કાયદાનું ચુસ્તપણે પાલન નહીં થાય તો શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા આવા તમામ ઉદ્યાગોને તાળાં મારી દેવાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે ચિમકી આપી હતી કે, અમે ટાટા નેનોથી આંદોલનની શરૂઆત કરીશું અને ત્યારબાદ હોન્ડા, મારુતિ જેવી બીજી મોટી કંપનીઓને પણ તાળાં મારીશું. અમારી માંગણી છે કે, અમારા યુવાનોને નોકરી આપો અને તમારા ઉદ્યોગો સુખેથી ચલાવો, નહીંતર જમીન ખાલી કરો. હવે સમય પાકી ગયો છે કે આ પ્રકારના ઉદ્યોગોને સબક શીખવાડાય.
એટલું જ નહીં, તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે, ટાટા પાસેથી જમીન પાછી લેવી જોઈએ અને અત્યાર સુધી ઉદ્યોગ સ્થાપવા માટે આપેલા નાણા પેનલ્ટી સાથે પરત લેવા જોઈએ. ટાટા જેવા ઉદ્યોગગૃહો એક તરફ સરકારી સહાય લે છે અને બીજી તરફ સ્થાનિક યુવાનોને 85 ટકા રોજગારી આપતા નથી. આ નહીં ચલાવી લેવાય.
આ પ્લાન્ટ લાવ્યા ત્યારે શરત મુકવામાં આવી હતી કે, ટાટાએ નેનો કારનું ઉત્પાદન કરવું. પરંતુ અમારી પાસે જે માહિતી છે તે મુજબ ટાટાએ એ શરતનો જ ભંગ કર્યો છે. નેનોના કારખાનામાં હવે નેનોનું ઉત્પાદન જ નથી કરાતું. આ અંગે સરકારે તાત્કાલિક અસરથી હેતુફેર બદલ શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ.
ગાંધીનગરઃ ઠાકોર નેતા અલ્પેશે 23મી ફેબ્રુઆરીએ ટાટા નેનો પ્લાન્ટને તાળું મારી દેવાની ચિમકી ઉચ્ચારી છે. રાજ્યમાં સ્થાપાયેલા અને રાજ્યની સબસિડી તેમજ અન્ય સહાયથી ચાલતા ઉદ્યોગો દ્વારા સ્થાનિક બેરોજગાર યુવાનોને રોજગાર આપવાના મુદ્દે તેમણે આ ચિમકી ઉચ્ચારી હતી.
આ સાથે અલ્પેશે જાહેરાત કરી હતી કે, આ આંદોલનની શરૂઆત સાણંદ પાસેના ટાટા નેનો પ્લાન્ટથી કરાશે. કારણ કે ટાટા નેનો પ્રોજેક્ટ માટે સરકારે તમામ પ્રકારની સહાય કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટાટા નેનો પ્રોજેક્ટ ગુજરાતમાં લાવવા માટે સરકારે લાલ જાજમ પાથરી હતી. 35 હજાર કરોડ રૂપિયાની સાવ ઓછા વ્યાજની લોન આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -