રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવારો, જાણો કોને અપાઈ ટિકિટ
એપ્રિલમાં 4 રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જેમાં અરુણ જેટલી, શંકર વેગડ, મનસુખ માંડવિયા અને પુરષોતમ રુપાલાનો સમાવેશ થાય છે. શંકર વેગડે સ્વેચ્છાએ રાજ્યસભામાં ચૂંટણી ન લડવા જણાવ્યું હતું અને બીજા સભ્યને તક આપવા કહ્યું હતું. ત્યાર બાદ પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને રિપીટ કરવામાં આવ્યાં છે. જ્યારે અરુણ જેટલી ઉત્તરપ્રદેશથી રાજ્યસભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવશે.
ગુજરાતમાં રાજયસભાની 4 બેઠકો માટેની ચૂંટણી 23 માર્ચે યોજાવાની છે. અને તે જ દિવસે મતગણતરી પણ હાથ ધરવામાં આવશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 માર્ચ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 3 રાજ્યોમાંથી 50 રાજ્યસભા સભ્યોના કાર્યકાળ બીજી એપ્રિલે પૂરા થઈ રહ્યાં છે. જેમાં ગુજરાત,ઓરિસ્સા, મહારાષ્ટ્ર, બિહાર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને રાજસ્થાન છે.
ઉલ્લેખનીય છે કે 3 રાજ્યોમાંથી 50 રાજ્યસભા સભ્યોના કાર્યકાળ બીજી એપ્રિલે પૂરા થઈ રહ્યાં છે. જેમાં ગુજરાત,ઓરિસ્સા, મહારાષ્ટ્ર, બિહાર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને રાજસ્થાન છે.
ગાંધીનગર: રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણીને લઈને ભાજપે ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં સંખ્યાબળ ઘટતાં રાજ્યસભાના બે સભ્યોને બીજે ખસેડવામાં આવ્યાં છે, જેમાં અરૂણ જેટલી હવે ઉત્તરપ્રદેશ રાજ્યસભાના સભ્ય બનશે.